મોરબીમાં કોરોના કાળ-ઝૂલતા પૂલમાં અવસાન પામેલા લોકોના મોક્ષાર્થે યોજાયેલ કથામાં ધારાસભ્ય હાજર રહ્યા
SHARE
મોરબીમાં કોરોના કાળ-ઝૂલતા પૂલમાં અવસાન પામેલા લોકોના મોક્ષાર્થે યોજાયેલ કથામાં ધારાસભ્ય હાજર રહ્યા
મોરબીમાં કોરોના કાળ તેમજ ઝૂલતા પૂલનાં ગુમાવેલા સદગતની આત્માની શાંતિ અર્થે તેમજ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સામાકાંઠે સોઓરડીમાં અંબિકા ગરબી ચોક ખાતે આ કથા ચાલી રહી છે જેમાં કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા મિલન જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ કથામાં વ્યાસપીઠેથી મોરબીના ભાગવત આચાર્ય શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કથામાં હાજર રહ્યા હતા અને તેને કથાનું રસપાન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત સોઓરડી વિસ્તારના લોકો, સર્વ મિત્રમંડળ, સર્વ સામાજિક- સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા લોકો જહેમત ઉઠાવી રહી છે.