મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત


SHARE















મોરબીના લક્ષ્મીનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ વાડીએ કોઈ કારણોસર યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવની મૃતક યુવાનના દીકરાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના લક્ષ્મીનગર ગામની સીમમાં નરેશભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા બલરામ પુલસીંગ ચૌહાણ જાતે કોળી (૪૪) એ કોઈ કારણોસર વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખાતે લઈ ગયા હતા જોકે ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આપઘાતના આ બનાવની મૃતક યુવનના દીકરા રાહુલભાઈ બલરામભાઈ ચૌહાણ (૨૨) રહે. લક્ષ્મીનગર ગામની સિમમાં નરેશભાઈ પટેલની વાડી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બલવની નોંધ કરી યુવાને ક્યા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે






Latest News