મોરબીના ઊંચી માંડલ પાસે સીરામીક કારખાનામાં લેબર કવાર્ટરના ત્રીજા માળેથી યુવાને લગાવી મોતની છલાંગ
મોરબીના લક્ષ્મીનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત
SHARE
મોરબીના લક્ષ્મીનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ વાડીએ કોઈ કારણોસર યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવની મૃતક યુવાનના દીકરાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના લક્ષ્મીનગર ગામની સીમમાં નરેશભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા બલરામ પુલસીંગ ચૌહાણ જાતે કોળી (૪૪) એ કોઈ કારણોસર વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખાતે લઈ ગયા હતા જોકે ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આપઘાતના આ બનાવની મૃતક યુવનના દીકરા રાહુલભાઈ બલરામભાઈ ચૌહાણ (૨૨) રહે. લક્ષ્મીનગર ગામની સિમમાં નરેશભાઈ પટેલની વાડી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બલવની નોંધ કરી યુવાને ક્યા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે