મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ ગામે મારામારી : દેરાણી અને જેઠાણીએ નોંધાવી સામસામી ફરિયાદ


SHARE















વાંકાનેરના કણકોટ ગામે મારામારી : દેરાણી અને જેઠાણીએ નોંધાવી સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે મહિલા અને તેના માવતરથી આવેલા લોકોને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને સામસામે મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે જુદી જુદી ફરિયાદ નોંધાય છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે સામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પાયલબેન વિજયભાઈ ડાભી (૨૪) એ તેના સાસુ મધુબેન ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી, વિજુબેન વિપુલભાઈ ડાભી, પ્રકાશભાઈ ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી, ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી અને વિપુલ ધનજીભાઈ ઉર્ફે બાબુભાઈ ડાભી રહે બધા કણકોટ વાળા સામે ફરિયાદ નોંધાવ્યું છે જેમાં તેને જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઇ કહ્યું હતું કે તારા માવતર વાળા તારા ઘરે આવવા ન જોઈએ અને ફરિયાદીના માવતર તેના ઘરે આવ્યા હતા જેથી કરીને ફરિયાદી અને સાહેદોને જેમ ફાવે તેમ ગાળો બોલીને ઢીકા પાટુનો માર માર્યો હતો તથા લાકડી, કુહાડી, ઇંટ તથા સ્ટીલના તપેલા વડે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામા પક્ષેથી વિજુબેન વિપુલભાઈ ડાભી (૨૪) એ રઘુભાઈ વેલજીભાઈ વાઘેલા, વિપુલભાઈ રઘુભાઈ વાઘેલા, ભરતભાઈ વાલજીભાઈ ગાંગડીયા, મુકેશભાઈ શામજીભાઈ સારદિયા અને પાયલબેન વિજયભાઈ ડાભીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના પતિ સાથે આરોપીઓને જૂનું મન દુઃખ હોય જેનું સમાધાન માટે ફરિયાદી તથા સાહેદો કહેવા માટે જતા આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા અને તેઓએ ફરિયાદી તથા સાહેદોને ઢીકા પાટુનો માર મારી જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી અને પાઇપ વડે માર્યો હતો જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નથી આગળની કાર્યવાહી હાથ ધરી છે આમ મારામારીના આ બનાવમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાયેલ હોય પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.






Latest News