મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા (સુ) ગામે કામ ધંધો બરાબર ચલતો ન હોય યુવાને અજુગતું પગલું ભરી લેતા મોત


SHARE







ટંકારાના નેસડા (સુ) ગામે કામ ધંધો બરાબર ચલતો ન હોય યુવાને અજુગતું પગલું ભરી લેતા મોત

ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો ભાઈ ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને હોસ્પિટલ મારફતે આ બનાવવાની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ટેન્શનમાં આવીને યુવાને આપઘાત કર્યો હોવાનું હાલમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બનાવની જાણવા મળતી પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે રહેતા રમેશભાઈ આલજીભાઈ પંચાલ (૪૩)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના ભાઈ વિનોદભાઈ આલજીભાઈ પંચાલ તેના મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ટંકારા હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલા આઈ.ટી. જામ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ઘર ચલાવવામાં મુશ્કેલી હતી જેથી તેને પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું મૃતક યુવાનના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે.

પરિણિતા સારવારમાં
મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ વીસીપરા ખાડા વિસ્તારમાં રહેતા લતાબેન ગૌતમભાઈ ચૌહાણ (૪૦) ને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચેલી હોય તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા સિવિલ હોસ્પિટલ તરફથી જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી કાજલબેન અરવિંદભાઈ રાઠોડ નામની ૨૯ વર્ષની મહિલાને તેના ઘેર તેના પતિએ માર મારતા તેણીને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી બનાવવા અંગે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News