મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા (સુ) ગામે કામ ધંધો બરાબર ચલતો ન હોય યુવાને અજુગતું પગલું ભરી લેતા મોત


SHARE











ટંકારાના નેસડા (સુ) ગામે કામ ધંધો બરાબર ચલતો ન હોય યુવાને અજુગતું પગલું ભરી લેતા મોત

ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો ભાઈ ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને હોસ્પિટલ મારફતે આ બનાવવાની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ટેન્શનમાં આવીને યુવાને આપઘાત કર્યો હોવાનું હાલમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બનાવની જાણવા મળતી પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે રહેતા રમેશભાઈ આલજીભાઈ પંચાલ (૪૩)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના ભાઈ વિનોદભાઈ આલજીભાઈ પંચાલ તેના મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ટંકારા હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલા આઈ.ટી. જામ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ઘર ચલાવવામાં મુશ્કેલી હતી જેથી તેને પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું મૃતક યુવાનના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે.

પરિણિતા સારવારમાં
મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ વીસીપરા ખાડા વિસ્તારમાં રહેતા લતાબેન ગૌતમભાઈ ચૌહાણ (૪૦) ને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચેલી હોય તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા સિવિલ હોસ્પિટલ તરફથી જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી કાજલબેન અરવિંદભાઈ રાઠોડ નામની ૨૯ વર્ષની મહિલાને તેના ઘેર તેના પતિએ માર મારતા તેણીને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી બનાવવા અંગે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News