મોરબીના લક્ષ્મીનગર પાસે આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં ધો. 9 એન્ડ 11 કોમર્સમાં એડમીશન્સ ઓપન
મોરબીના અરૂણોદયનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલ દીક્ષા સમારોહમાં ૧૩૫ યુવાનોએ ત્રિશુલ દીક્ષા લીધી
SHARE
મોરબીના અરૂણોદયનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલ દીક્ષા સમારોહમાં ૧૩૫ યુવાનોએ ત્રિશુલ દીક્ષા લીધી
મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મોરબીના સામાકાંઠા વિસ્તારમા આવેલ અરૂણોદયનગરના ગરબી ચોકમાં ભવ્ય ત્રિશુલદીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ૧૩૫ સનાતની હિંદુ ભાઈઓએ ત્રિશુલદીક્ષા ધારણ કરી હિંદુત્વના રક્ષણના શપથ લિધા હતા.કાર્યક્રમને શોભાવવા માટે લલિતભાઈ ભાલોડીયા (મોરબી જિલ્લા સંઘ ચાલકજી), વિપુલભાઈ અગ્રાવત (બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત સહ સંયોજક), કમલભાઈ દવે (બજરંગદળ સુરેન્દ્રનગર વિભાગ સંયોજક), રમેશભાઈ પંડ્યા (સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસ્તા પ્રમુખ), હસુભાઈ ગઢવી (ધર્માચાર્ય પ્રમુખ સુરેન્દ્રનગર વિભાગ), ભાવિકભાઈ ભટ્ટ (વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી જિલ્લા મંત્રી), પુષ્પરાજસિંહ જાડેજા (વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી માળીયા ગ્રામ્ય અઘ્યક્ષ) તથા રણછોડજી ભગત (ધર્મ જાગરણ વિભાગ) તથા સીતારામ બાપુ (રોકડિયા હનુમાનજી મંદિર) વિગેરે હાજર રહ્યા હતા