મોરબી જીલ્લામાં મજૂરોની પોલીસને માહિતી ન આપતા વધુ ૬ સામે ગુના નોંધાયા
મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા યુવાને જીવન ટૂંકાવ્યું
SHARE
મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા યુવાને જીવન ટૂંકાવ્યું
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગાહી કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા પરબતભાઈ બચુભાઈ બારોટ (૪૩) એ પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળાફસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર મારફતે આપઘાતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે









