વાંકાનેરમાં આવેલ શાહબાવાની દરગાહમાંથી આઠ પંખાની ચોરી
SHARE
વાંકાનેરમાં આવેલ શાહબાવાની દરગાહમાંથી આઠ પંખાની ચોરી
વાંકાનેર શહેરમાં આવેલ શાહબાવાની દરગાહમાં મૂકવામાં આવેલ નાની મોટી સાઈઝના આઠ પંખાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ ધાર્મિક જગ્યાના ટ્રસ્ટી દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ૭૦૦૦ રૂપિયાની કિંમતના આઠ પંખાની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ શાહબાવાની દરગાહના ચેરમેન વાંકાનેરના મામલતદાર છે અને અન્ય ટ્રસ્ટીઓનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે દરમિયાન શાહબાવાની દરગાહમાં મૂકવામાં આવેલા નાની મોટી સાઈઝના આઠ જેટલા પંખાઓની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ૭૦૦૦ રૂપિયાની કિંમતના આઠ પંખાની ચોરી થઈ હતી અને આ ચોરી કરેલા પંખાને વાંકાનેરમાં જીનપરા જકાતનાકા રેલવે પુલ નીચેની બાજુ આવેલ ભંગારના ડેલા પાસે એક શખ્સ વેચવા માટે આવ્યો હતી અને ત્યાં વેચી ગયેલ હોય જે અંગેની ટ્રસ્ટીઓને જાણ થતા ટ્રસ્ટીઓ ત્યાં ભંગારના ડેલે પહોંચ્યા હતા અને ત્યાં દરગાહમાંથી ચોરી કરવામાં આવેલ પંખો મળી આવ્યો હતો જેથી ભંગારના ડેલે મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવતા આ પંખાને ભંગારના ડેલે આપવા સરફરાજ હુસેન ફકીર રહે. વાંકાનેર મીનારાશેરી વાળો આવ્યો હોવાનું જોવા મળ્યું હતું જેથી હાલમાં વાંકાનેરમાં લક્ષ્મીપરા આરડીસી બેંકની પાછળના ભાગમાં રહેતા મહમદભાઈ રહેમાનભાઈ રાઠોડ જાતે ઘાંચી (૭૫) દ્વારા તેની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે સરફરાજ ફકીર સામે ગુનો નોંધીને તેને પકડવા માટે અને મુદ્દામાલને રિકવર કરવા માટે તજવીજ શરૂ કરેલ છે









