મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે ખુટીયા સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત: બાઇક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE















મોરબીના શનાળા રોડે ખુટીયા સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત: બાઇક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીમાં નાસ્તો કરવા માટે આવેલા બે યુવાન શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસેથી જતાં હતા ત્યારે તેઓના બાઈકની આડે ખુટિયો ઉતરતા બાઇક ખુટીયાની સામે અથડાયું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને ઇજા થઈ હતી અને બે પૈકીના પાછળ બેઠેલા યુવાને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પિતાએ હાલમાં બાઈક ચાલકની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે શક્તિપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ અવચરભાઈ સાલાણી જાતે કોળી (૩૮)એ હાલમાં મોરબી શહેરમાં સર્કિટ હાઉસ સામે આવેલ મફતીયા પરામાં રહેતા સાહિલ જાહીરભાઈ નારેજાની સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના ગામે રહેતા શેખુભાઈ ભુપતભાઈ વાઘેલાએ તેને ફોન કરીને જણાવ્યું હતું કે તેના દીકરાનું એક્સિડન્ટ થયું છે અને તેને માથામાં વાગી ગયું હોવાથી તેને ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા છે જેથી તેઓ પોતાની પત્ની અને ભાઈ સાથે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને ત્યાં શેખુભાઈ ભુપતભાઈએ તેને જણાવ્યું હતું કે, તેઓ અલગ અલગ બાઈક લઈને મોરબીમાં નાસ્તો કરવા માટે થઈને આવ્યા હતા અને ત્યારે તેનો દીકરો અજય દિનેશભાઈ સાલાણી (૧૭) સાહિલ નારેજાના બાઈકમાં પાછળના ભાગે બેઠો હતો અને મોરબીના નવા બસ સ્ટેશન પાસેથી ગાંધી ચોક તરફ તેઓ બાઈક લઈને આવતા હતા ત્યારે તેઓના બાઇક આડે ખુટિયો ઉતર્યો હતો જેથી સાહિલનું બાઇકએ ખુટિયા સાથે અથડાયું હતું અને પાછળ બેઠેલ અજય ફૂટપાથને થાંભલા સાથે અથડાતા તેને માથામાં ગંભીર થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં બંનેને રીક્ષામાં બેસાડીને સારવાર માટે હોસ્પિટલો લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અજયને અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન અજય સાલાણીનું મોત નીપજ્યું હતું જેથી મૃતક યુવાનના પિતા દ્વારા હાલમાં સાહિલ જાહીરભાઈ નારેજાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ તજવીજ શરૂ કરેલ છે






Latest News