મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરા હાઇવે રોડે વાહનમાં પેસેંજર ભરવા બાબતે મારા મારી: સામસામી ફરિયાદ


SHARE















વાંકાનેરના જીનપરા હાઇવે રોડે વાહનમાં પેસેંજર ભરવા બાબતે મારા મારી: સામસામી ફરિયાદ

વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર વાહનમાં પેસેન્જર ભરવા બાબતે પેસેન્જર વાહન ચલાવતા બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ ગાળા ગાળી થઈ હતી અને મારામારીનો બનાવ બન્યો હતો ત્યારે ભરવાડ યુવાનને હાથમાં છરી વડે ઇજા કરવામાં આવી હતી તો સામા પક્ષે આધેડને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા બાબુભાઈ મોનાભાઈ સરૈયા જાતે ભરવાડ (૨૨) હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હુસેનભાઈ મહમદભાઈ પીપરવાડિયા અને ફેઝલ હુસેનભાઇ પીપરવાડિયા રહે. બંને વાંકાનેર જીનપરા શેરી નં-૧૩ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને અને આરોપીને પેસેન્જર વાહનનો ધંધો હોવાથી પેસેન્જર ભરવા બાબતે વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર બોલાચાલી થઈ હતી અને ત્યારે આરોપીઓએ તેને ભૂંડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને હુસેનભાઇ પીપરવાડીયાએ છરી વડે તેને ડાબા હાથના પંજામાં ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા બાબુભાઈ સરૈયાએ નોંધાવેલ ફરિયાદારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો સામા પક્ષેથી હુસેનભાઇ મહમદભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (૫૦) એ બાબુભાઈ ભરવાડ, કરણભાઈ પ્રજાપતિ અને ૩ અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, પેસેન્જર ભરવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારે આરોપીઓએ ભૂલા બોલી ગાળો આપીને ઢીકાપાટોનો માર માર્યો હતો અને બાબુભાઈ ભરવાડે હાથમાં પહેરેલ કડા વડે છાતીમાં ઇજા કરી હતી તો કરણભાઈ પ્રજાપતિ અને અન્ય ત્રણ માણસોએ ત્યાં આવીને તેને ઢિકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી હુસેનભાઇ પીપરવાડીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News