મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરા હાઇવે રોડે વાહનમાં પેસેંજર ભરવા બાબતે મારા મારી: સામસામી ફરિયાદ


SHARE













વાંકાનેરના જીનપરા હાઇવે રોડે વાહનમાં પેસેંજર ભરવા બાબતે મારા મારી: સામસામી ફરિયાદ

વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર વાહનમાં પેસેન્જર ભરવા બાબતે પેસેન્જર વાહન ચલાવતા બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ ગાળા ગાળી થઈ હતી અને મારામારીનો બનાવ બન્યો હતો ત્યારે ભરવાડ યુવાનને હાથમાં છરી વડે ઇજા કરવામાં આવી હતી તો સામા પક્ષે આધેડને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા બાબુભાઈ મોનાભાઈ સરૈયા જાતે ભરવાડ (૨૨) હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હુસેનભાઈ મહમદભાઈ પીપરવાડિયા અને ફેઝલ હુસેનભાઇ પીપરવાડિયા રહે. બંને વાંકાનેર જીનપરા શેરી નં-૧૩ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને અને આરોપીને પેસેન્જર વાહનનો ધંધો હોવાથી પેસેન્જર ભરવા બાબતે વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર બોલાચાલી થઈ હતી અને ત્યારે આરોપીઓએ તેને ભૂંડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને હુસેનભાઇ પીપરવાડીયાએ છરી વડે તેને ડાબા હાથના પંજામાં ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા બાબુભાઈ સરૈયાએ નોંધાવેલ ફરિયાદારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો સામા પક્ષેથી હુસેનભાઇ મહમદભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (૫૦) એ બાબુભાઈ ભરવાડ, કરણભાઈ પ્રજાપતિ અને ૩ અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, પેસેન્જર ભરવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારે આરોપીઓએ ભૂલા બોલી ગાળો આપીને ઢીકાપાટોનો માર માર્યો હતો અને બાબુભાઈ ભરવાડે હાથમાં પહેરેલ કડા વડે છાતીમાં ઇજા કરી હતી તો કરણભાઈ પ્રજાપતિ અને અન્ય ત્રણ માણસોએ ત્યાં આવીને તેને ઢિકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી હુસેનભાઇ પીપરવાડીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News