માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE













મોરબીના હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન જતા રસ્તા ઉપર ઇંટોના ભઠ્ઠા પાસે કામ માંગવા માટે ગયેલ યુવાનની હત્યા કરવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ ગુનામાં હાલમાં બીજા આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતા અને જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર ઈંટોનો ભઠ્ઠો ધરાવતા વિજયભાઈ ઉર્ફે મુન્નો ધીરુભાઈ સાંતલપરા જાતે કોળી (૩૫)એ થોડા દિવસો પહેલા અશોકભાઈ સુખાભાઈ કોળી રહે. સુલતાનપુર અને જીતેશભાઈ સીતાપરા જાતે કોળી રહે. થાન વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી કે, થોડા દિવસ પહેલા અજાણ્યો ૪૦ વર્ષનો યુવાન તેના ઈંટના ભઠ્ઠે આવ્યો હતો અને ત્યાં ભઠ્ઠામાં કામ કરતા અશોકભાઈ અને જીતેશભાઈને કહ્યું હતું કે ઈંટના ભઠ્ઠામાં મને મજૂરી કામે કેમ રાખતા નથીત્યારે બાદ તેને ઝઘડો શરૂ કર્યો હતો અને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આરોપીઓએ અજાણ્યા યુવાનને પાવડાના હાથા વડે આડેધડ માર્યો હતો જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેની લાશને ખોખરા હનુમાન વાળા રસ્તા ઉપર નાખી આવ્યા હતા જેથી હત્યાના આ બનાવમાં વિજયભાઈ સાંતલપરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાના આ ગુનામાં પહેલા આરોપી અશોકભાઈ સુખાભાઈ શેખાણી જાતે કોળીની ધરપકડ કરી હતી અને તે હાલમાં જેલમાં છે અને મૃતક યુવાનની હજુ સુધી ઓળખ મળેલ નથી તેવામાં પોલીસે હત્યાના આ ગુનામાં વધુ એક આરોપી જીતેશભાઈ પ્રભુભાઈ સીતાપરા જાતે કોળી (૩૫) રહે. મફતિયાપરા ઝાલાવાડ પોટરી પાછળ નવાગામ રોડ થાન વાળાની ધરપકડ કરેલ છે

પરિણાતને પતિએ માર માર્યો

મોરબીના મહેન્દ્રપારા વિસ્તારમાં રહેતી રેશ્માબેન ઇમરાનભાઇ ગાલબ (૨૯) નામની પરિણીતાને તેના પતિ ઇમરાનભાઇ ગાલબ અને સાસુ હાલીમાબેન ગાલબ દ્વારા ધોકા વડે માર મરવામાં આવ્યો હતો જેથી કરીને આ મહિલાને મોરબીમાં પ્રાથમિક સારવાર સિવિલે આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News