માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે


SHARE













મોરબીમાં લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે

મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે ધામધુમથી દરિયાલાલ પ્રભુના પ્રાગટ્ય ઉત્સવને ઉજવવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષ પણ બેતાલીસમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૩ ને ગુરૂવારના રોજ મોરબીના દરિયાલાલ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવશે 

મોરબીમાં નહેરૂ ગેઈટ પાસે આવેલ દરિયાલાલ મંદિરવાળી શેરીમાં દરિયાલાલ મંદિર ખાતે ધામધુમથી જન્મોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સવારે ૬ થી ૭ આરતી, દરિયાલાલ પ્રભુનું પૂજન,  ૮:૩૦ થી ૯:૦૦ શરામાયણ પ્રવચન, સવારે ૯ થી ૩ સુધી વરૂણ યજ્ઞ તથા શ્રીફળ હોમાશે અને આ વરૂણ યજ્ઞના યજમાન પદે મોરબી નિવાસી અ.સૌ. પાયલબેન તથા સંજયભાઇ જગદિશચંદ્ર પુજારા તથા અ.સૌ. માધવીબેન તથા આકાશભાઇ હિમતભાઇ પુજારા બેસવાના છે અને સાંજે દરિયાલાલ પ્રભુનો મહાપ્રસાદ ૬ થી ૮ બહેનો અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી ભાઈઓ માટે મોરબીના સરદાર રોડ ઉપર આવેલ દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની ભોજનશાળા સાવસર પ્લોટ મેઇન રોડ ખાતે રાખવામા આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ ઉજવણી માટે ટ્રસ્ટીઓ ફાળો લેવા માટે નીકળવાના નથી પરંતુ જે લોકોને આર્થિક સહયોગ આપવો હોય તે દશાશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડીમાં ફાળો આપી શકાશે. તેમ સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઇ કાનજીભાઇ જોબનપુત્રા તેમજ કમલેશ કીરચંદભાઇ કકકડ, નિકુંજભાઇ પુનમચંદભાઇ કોટક, જગદિશચંદ્ર હરજીવનભાઇ પંડીત અને ચંદ્રેશ હીરાલાલ કોટકની યાદીમાં જણાવ્યુ છે






Latest News