મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ નજીક કેનાલમાંથી મળેલ યુવાનની લાશની ઓળખ મળી


SHARE





મોરબીના ઘુંટુ નજીક કેનાલમાંથી મળેલ યુવાનની લાશની ઓળખ મળી

મોરબી હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી ત્રણેક દિવસ જૂની કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનની લાશ મળી આવી હોય ગામના સરપંચ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી અને હાલમાં તેની ઓળખ મળી ગયેલ છે અને મૃતકના વાલી વારસ આવી જતાં તેને મૃતદેહ સોપી દેવામાં આવ્યો છે

મોરબી હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામના માજી સરપંચ દેવજીભાઈ પરેચા દ્વારા ફોન કરીને મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કેઘુંટુ ગામથી ઉંચી માંડલ તરફ જતા રસ્તે આવેલ કેનાલની અંદર એક અજાણ્યા આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ પડેલ છે જેથી બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મેથકના જે.પી.વસીયાણીએ સ્થળ ઉપર પહોંચીને મૃતદેહનું પંચનામું કર્યા બાદ લાશ કોહવાઈ ગયેલી હાલતમાં હોય હાલ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ કેનાલમાંથી આશરે પાંત્રીસેક વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે યુવાનના એક હાથમાં 'દિલજ્યારે બીજા હાથમાં 'ઓમત્રોફાવેલ હોવાથી તેની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને દરમ્યાન મૃતક યુવાન મુકેશ જુવાનસિંહ મંડલોય જાતે આદીવાસી (૩૫) રહે. હાલ ફલેશ સીરામીકના કારખાનાના લેબર કવાર્ટર ઉચી માંડલ મુળ રહે. નવાપાડા લાલુ ફળીયા જિલ્લો જાબુઆ (એમ.પી) વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેના મૃતદેહને રાજેશભાઇ ધનસિંહ જામોત (૨૮) રહે. હાલ ઉચી માંડલ ગામની સીમ એકોર્ડ સ્લેબ સીરામીકના લેબર કવાર્ટર વાળાને સોપી દેવામાં આવેલ છે તેવી તપાસનીશ અધિકારી જે.પી. વસિયાણી પાસેથી જાણવા મળેલ છે




Latest News