મોરબીના ઘુંટુ નજીક કેનાલમાંથી મળેલ યુવાનની લાશની ઓળખ મળી
SHARE
મોરબીના ઘુંટુ નજીક કેનાલમાંથી મળેલ યુવાનની લાશની ઓળખ મળી
મોરબી હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી ત્રણેક દિવસ જૂની કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનની લાશ મળી આવી હોય ગામના સરપંચ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી અને હાલમાં તેની ઓળખ મળી ગયેલ છે અને મૃતકના વાલી વારસ આવી જતાં તેને મૃતદેહ સોપી દેવામાં આવ્યો છે
મોરબી હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામના માજી સરપંચ દેવજીભાઈ પરેચા દ્વારા ફોન કરીને મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, ઘુંટુ ગામથી ઉંચી માંડલ તરફ જતા રસ્તે આવેલ કેનાલની અંદર એક અજાણ્યા આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ પડેલ છે જેથી બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મેથકના જે.પી.વસીયાણીએ સ્થળ ઉપર પહોંચીને મૃતદેહનું પંચનામું કર્યા બાદ લાશ કોહવાઈ ગયેલી હાલતમાં હોય હાલ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ કેનાલમાંથી આશરે પાંત્રીસેક વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે યુવાનના એક હાથમાં 'દિલ' જ્યારે બીજા હાથમાં 'ઓમ' ત્રોફાવેલ હોવાથી તેની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને દરમ્યાન મૃતક યુવાન મુકેશ જુવાનસિંહ મંડલોય જાતે આદીવાસી (૩૫) રહે. હાલ ફલેશ સીરામીકના કારખાનાના લેબર કવાર્ટર ઉચી માંડલ મુળ રહે. નવાપાડા લાલુ ફળીયા જિલ્લો જાબુઆ (એમ.પી) વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેના મૃતદેહને રાજેશભાઇ ધનસિંહ જામોત (૨૮) રહે. હાલ ઉચી માંડલ ગામની સીમ એકોર્ડ સ્લેબ સીરામીકના લેબર કવાર્ટર વાળાને સોપી દેવામાં આવેલ છે તેવી તપાસનીશ અધિકારી જે.પી. વસિયાણી પાસેથી જાણવા મળેલ છે