માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ નજીક કેનાલમાંથી મળેલ યુવાનની લાશની ઓળખ મળી


SHARE













મોરબીના ઘુંટુ નજીક કેનાલમાંથી મળેલ યુવાનની લાશની ઓળખ મળી

મોરબી હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી ત્રણેક દિવસ જૂની કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનની લાશ મળી આવી હોય ગામના સરપંચ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી અને હાલમાં તેની ઓળખ મળી ગયેલ છે અને મૃતકના વાલી વારસ આવી જતાં તેને મૃતદેહ સોપી દેવામાં આવ્યો છે

મોરબી હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામના માજી સરપંચ દેવજીભાઈ પરેચા દ્વારા ફોન કરીને મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કેઘુંટુ ગામથી ઉંચી માંડલ તરફ જતા રસ્તે આવેલ કેનાલની અંદર એક અજાણ્યા આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ પડેલ છે જેથી બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મેથકના જે.પી.વસીયાણીએ સ્થળ ઉપર પહોંચીને મૃતદેહનું પંચનામું કર્યા બાદ લાશ કોહવાઈ ગયેલી હાલતમાં હોય હાલ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ કેનાલમાંથી આશરે પાંત્રીસેક વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે યુવાનના એક હાથમાં 'દિલજ્યારે બીજા હાથમાં 'ઓમત્રોફાવેલ હોવાથી તેની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને દરમ્યાન મૃતક યુવાન મુકેશ જુવાનસિંહ મંડલોય જાતે આદીવાસી (૩૫) રહે. હાલ ફલેશ સીરામીકના કારખાનાના લેબર કવાર્ટર ઉચી માંડલ મુળ રહે. નવાપાડા લાલુ ફળીયા જિલ્લો જાબુઆ (એમ.પી) વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેના મૃતદેહને રાજેશભાઇ ધનસિંહ જામોત (૨૮) રહે. હાલ ઉચી માંડલ ગામની સીમ એકોર્ડ સ્લેબ સીરામીકના લેબર કવાર્ટર વાળાને સોપી દેવામાં આવેલ છે તેવી તપાસનીશ અધિકારી જે.પી. વસિયાણી પાસેથી જાણવા મળેલ છે






Latest News