વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ
Breaking news
Morbi Today

વાંકાનેરની કેરાળા પ્રાથમિક શાળાના આચાર્યની પુનઃ પંચાસીયા ગામે બદલી થતા શાળાના બાળકોએ ભીની આંખે આપી વિદાય


SHARE













વાંકાનેરની કેરાળા પ્રાથમિક શાળાના આચાર્યની પુનઃ પંચાસીયા ગામે બદલી થતા શાળાના બાળકોએ ભીની આંખે આપી વિદાય

વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે પાંચ વર્ષ આચાર્ય તરીકે ફરજ બજાવ્યા બાદમાં શ્રી કેરાળા પ્રાથમિક શાળા, તા.વાંકાનેર, જી.મોરબી ખાતે ત્રણ વર્ષ પહેલાં ફરજ ઉપર નિમણૂંક પામેલ એચ-ટાટ પ્રિન્સિપાલ ચેતનકુમાર જી.બોસિયાની વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે શ્રી પંચાશિયા પ્રાથમિક શાળામાં પુન: આચાર્ય તરીકે બદલી થતા કેરાળા પ્રાથમિક શાળા પરીવાર અને શાળાના વિદ્યાર્થીઓએ ચેતનકુમાર બોસીયાને લાગણી સભર વિદાય આપી હતી.તેઓના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી National Means Cum Merit Scholarship(NMMS-એનએમએમએસ), રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પીએસઇ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં સ્થાન પામ્યા છે.તેમજ જવાહર નવોદય પરીક્ષામાં પાસ થઈને અનેક વિદ્યાર્થીઓએ શાળા અને કેરાળા ગામનું નામ રોશન કર્યું છે.શાળા પરિવાર અને શાળાના આચાર્ય ચેતનકુમાર જી.બોસિયાના માર્ગદર્શન હેઠળ આ સિધ્ધી શાળાના બાળકોએ હાંસલ કરી છે. મોરબીના કેરાળા પ્રાથમિક શાળામાંથી આચાર્ય ચેતનભાઇ બોસિયાની પુન: પંચાસીયા પ્રા. શાળા ખાતે બદલી થતાં કેરાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના આંખોના ખૂંણા ભીના થયા હતા અને આચાર્ય ચેતનકુમાર બોસીયાને ભારે હૃદયે સૌએ વિદાય આપી હતી.






Latest News