મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ દિને યંગ ઇન્ડિયા ગ્રુપ-પી.જી.પટેલ કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ


SHARE













મોરબીમાં શહીદ દિને યંગ ઇન્ડિયા ગ્રુપ-પી.જી.પટેલ કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

શહીદ દિવસે સમગ્ર દેશે શહીદ ભગતસિંહ, રાજયગુરુ અને સુખદેવની વીરાંજલીને કોટી કોટી પ્રણામ કર્યા છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી. પટેલ કોમર્સ કોલેજ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલથી લઈને ગાંધીચોક સુધી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા પહોચી હતી જેમાં બાળકો અને યુવાનો સહિતના જોડાયા હતા ત્યારે યુવાનોએ વંદે માતરમ તેમજ શહીદો અમર રહોના નારા લગાવી શહીદોની દેશભક્તિને આત્મસાત કરવાના સંકલ્પ લીધા હતા. અને મોરબીના ગાંધીચોકમાં આવેલ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર તેમજ પ્રતીકાત્મક દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ ૧૦૦ યુવાનોએ વ્યસન મુક્તિનો સંકલ્પ લીધો હતો ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દરેક ભારતીય આદર્શ નાગરિક બનીને જવાબદારીનું વહન કરે તેજ સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. આ તકે પી.જી. પટેલ કોમર્સ કોલેજના આચાર્ય ડો. રવિન્દ્રભાઈ ભટ્ટ સહિતનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો






Latest News