મોરબીમાં શહીદ દિને યંગ ઇન્ડિયા ગ્રુપ-પી.જી.પટેલ કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ
મોરબીમાં લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ધામધુમથી ઉજવણી
SHARE
મોરબીમાં લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ધામધુમથી ઉજવણી
મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે ધામધુમથી દરિયાલાલ પ્રભુના પ્રાગટ્ય ઉત્સવને ઉજવવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષ પણ બેતાલીસમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં નહેરૂ ગેઈટ પાસે આવેલ દરિયાલાલ મંદિરવાળી શેરીમાં દરિયાલાલ મંદિર ખાતે ધામધુમથી જન્મોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારે ૬ થી ૭ આરતી, દરિયાલાલ પ્રભુનું પૂજન, ૮:૩૦ થી ૯:૦૦ શરામાયણ પ્રવચન, સવારે ૯ થી ૩ સુધી વરૂણ યજ્ઞ રાખવામા આવ્યો હતો જેમાં વરૂણ યજ્ઞના યજમાન પદે મોરબી નિવાસી અ.સૌ. પાયલબેન તથા સંજયભાઇ જગદિશચંદ્ર પુજારા તથા અ.સૌ. માધવીબેન તથા આકાશભાઇ હિમતભાઇ પુજારા બેઠા હતા અને સાંજે દરિયાલાલ પ્રભુનો મહાપ્રસાદ મોરબીના સરદાર રોડ ઉપર આવેલ દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની ભોજનશાળા સાવસર પ્લોટ મેઇન રોડ ખાતે રાખવામા આવેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઇ કાનજીભાઇ જોબનપુત્રા, કમલેશ કીરચંદભાઇ કકકડ, નિકુંજભાઇ પુનમચંદભાઇ કોટક, જગદિશચંદ્ર હરજીવનભાઇ પંડીત અને ચંદ્રેશ હીરાલાલ કોટક સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી