મોરબીમાં તાવ-ઉલ્ટીની સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ મહિલાનું આંચકી આવતા બ્રેન હેમરેજથી મોત લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ટીબી હારેગા ભારત જીતેગા અંતર્ગત પોષણ કીટનું વિતરણ મોરબીમાં કુતરાને મારવાની માથાકૂટમાં મારામારી ! મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત વીર માંગળાવાળો-પદ્માવતી નાટક યોજાયુ


SHARE











મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત વીર માંગળાવાળો-પદ્માવતી નાટક યોજાયુ

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી માતૃવંદના ટ્રસ્ટ દ્વારા એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનુ આયોજન ૨૩ માર્ચના રોજ કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે વીર માંગળાવાળો અને પદ્માવતી નાટક યોજાયું હતું અત્રે ઉલેખનીય છે કે, દેશમાં ભગતસિંહરાજ્યગુરુ અને સુખદેવની શહાદતની યાદ ૨૩ માર્ચને શાહિદ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે ત્યારે મોરબીમાં છેલ્લા ૧૧ વર્ષથી માતૃવંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિવસે જુદાજુદા કાર્યક્રમ કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે ૨૩ માર્ચના રોજ એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમમાં વીર માંગળાવાળો અને પદ્માવતી નાટકનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ મોરબીના એસપી રોડ તથા ઘુનડા રોડ વચ્ચે આવેલ સનસીટી ગ્રાઉન્ડ ખાતે રાખવામા આવ્યો હતો ત્યારે પુરુષાર્થ એજ્યુકેશન સિસ્ટમ ભણવડના ૭૦ વિદ્યાર્થીઓ સહિત ૧૦૦ જેટલા કલાકારો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેને જોવા માટે મોટી સંખ્યામાં મોરબીના લોકો આવ્યા હતા






Latest News