મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના બ્લાસ્ટ કેસમાં આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા આદેશ


SHARE













વાંકાનેરના બ્લાસ્ટ કેસમાં આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા આદેશ

વાંકાનેરના  રોનક સ્ટોનમાં બ્લાસ્ટ થયો હતો અને બે વ્યક્તિના ઇજા થવાના લીધે મોત થયા હતા જે કેસ મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે કેસમાં સંડોવાયેલા આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદી નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપી હીરેન જગદીશભાઈ અધડુક તથા અન્ય આરોપીઓએ રોનક સ્ટોન ક્રશર નામના ભરડીયાની ઓરડીમાં અનઅધીકૃત રીતે ભરડીયાની ખાણમાંથી પથ્થર કાઢવા માટે વપરાતા જીલેટીન અને ડીટોનેટર વીગેરે વીસ્ફોટક પદાર્થોનો જથ્થો રાખી બેદરકારી દાખવી હતી અને આ વીસ્ફોટક જથ્થામાં કોઈ કારણોસર વીસ્ફોટ થતા આરોપી બીપીન, કનુભાઈને ગંભીર ઈજા થતા મરણ ગયેલ હતા અને સાહેદોને ઈજાઓ થઈ હતી તથા ભરડીયામા પડેલ વાહનોમાં નુકશાન થયેલ હોય તે અંગે વાકાનેર તાલુકા પોલીસે આરોપી હીરેન જગદીશ અધડુક તથા અન્ય આરોપીઓ સામે ઈ.પી.કો. કલમ તથા ધી એકસપ્લોજીવ એકટની કલમ તથા એકસપ્લોજીવ સબ સ્ટન્સ એકટની કલમ મુજબનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ હતી

આ કેસમાં ફરીયાદ પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદ પક્ષે સાહેદની જુબાનીમાં કેસ બાબતેનો કોઈ પુરાવો જાહેર કરવામાં આવેલ નથી. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ જીતેન ડી. અગેચાણીયાની તમામ દલીલો માનીને કોર્ટે આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબીના એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, દીલીપભાઈ આર. અગેચાણીયા, જે.ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News