મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

ભુજ-દિલ્હી વચ્ચે વંન્દે માતરમ ટ્રેન અને તેના કનેક્ટિવિટી દિલ્હી-હરિદ્વાર ટ્રેનની રેલ્વે મિનિસ્ટર તથા રેલ મંત્રાલયમાં રજુઆત કરતા સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE











ભુજ-દિલ્હી વચ્ચે વંન્દે માતરમ ટ્રેન અને તેના કનેક્ટિવિટી દિલ્હી-હરિદ્વાર ટ્રેનની રેલ્વે મિનિસ્ટર તથા રેલ મંત્રાલયમાં રજુઆત કરતા સાંસદ વિનોદભાઇ ચાવડા
 

કચ્છથી હરિદ્વાર માટે સાપ્તાહિક ટ્રેનની જાહેરાત રેલ્વે મંત્રાલયમ તરફથી થઈ છે.જેને આવકારતા કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ લોક સભા સત્ર દરમ્યાન રેલ્વે મિનિસ્ટર પાસે ભુજથી દિલ્હી દૈનિક “વંન્દે માતરમ” ટ્રેન સેવા શરૂ થાય અને તેના કનેક્ટિવિટી ટાઈમમાં દિલ્હીથી હરિદ્વાર ટ્રેન સેવા થાય તો લાખો લોકોના માટે ફાયદાકારક બનશે.

વધુમાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, દેશના પાટનગર દિલ્હી માટે કચ્છથી એકમાત્ર ભુજ-બરેલી (આલા હઝરત) ટ્રેન છે.એક જ ટ્રેન હોવાથી રૂટમાં આવતા બધા નાના-મોટા શહેરો ની સુવિધા અર્થે સ્ટોપેજ ફાળવ્યા છે.પરંતુ સુપર ફાસ્ટ ટ્રેનની સુવિધા ખુબજ જરૂરી છે. માટે “વંન્દે માતરમ” ટ્રેન શરૂ થાય અને દિલ્હીથી હરીદ્વાર ટ્રેન કનેકશન મળે તો લાખો લોકોને તેનો લાભ મળે.પ્રગતિશીલ કચ્છમાં ઉતર ભારતના લાખો લોકો ધંધા ઉધોગ અને રોજગારી માટે વસેલા છે.તેમને તથા કચ્છના લોકોને ચારધામ - હરિદ્વાર અને પ્રવાસન સ્થળોએ દર્શન અને ફરવાનો લાભ મળે માટે લેખિત-મૌખિક રજૂઆત રેલ્વે મિનિસ્ટર અશ્વિનીજી અને રાજય કક્ષા રેલ મિનિસ્ટર દર્શનાબેન જરદોશ પાસે કરેલ છે.તેમના તરફથી સારો પ્રતીભાવ મળેલ છે.

મચ્છુ-૨ સિંચાઈ યોજનાનું પાણીથી ગ્રામ્ય વિસ્તારના તળાવો ભરો : કે.ડી.બાવરવા

મોરબીના કે.ડી.બાવરવાએ જણાવેલ છે છે કે મચ્છુ-૨ ડેમના પાંચ દરવાજાની  નવા બનાવવાના હોય મચ્છુ-૨ ડેમનું પાણી ખાલી કરવામાં આવનાર છે. તો અમારી માંગણી છે કે મચ્છુ-૨ ડેમનું પાણી નદીમાં વહાવીને દરિયામાં જાય તેના કરતા મોરબી-માળિયા વિસ્તારના ગામોના તળાવો ભરી આપવા જોઇએ તેઓએ રાજયના મુખ્યમંત્રીને આ અંગે માંગ કરી છે અને યોગ્ય આદેશો કરવા વિનતી કરેલ છે તેમજ આ કામ માટે સરકારને કોઈપણ ખર્ચ થાય તેવું નથી કે નથી વીજળીનો ઉપયોગ કરવાનો તો આ કામ કરવામાં આવે તેવી તેઓએ માંગણી કરી છે જો આવું કરવામાં આવશે. તો તળાવની આજુબાજુના ખેડૂતો ઢોરો માટેનો ચારો ઉગાળી શકશે અને ઢોરોને પણ પીવાનું પાણી મળી રહેશે તો આ બાબતે યોગ્ય કરવા વિનતી. કાન્તિલાલ ડી. બાવરવા (જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન) એ માંગ કરેલ છે.






Latest News