મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ટ્રાન્સપોર્ટરે અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE













વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ટ્રાન્સપોર્ટરે અંતિમ પગલું ભરી લેતા મોત 

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ટ્રાન્સપોર્ટર યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃત દેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને કયા કારણોસર આપઘાત કરલે છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની પંચશીલ સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર જય મનોજભાઈ ખોરજા (૩૦) નામના યુવાને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ચોકડી પાસે તેની સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધનું મોત

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં અંદર રહેતા હેમંતભાઈ નરશીભાઈ કાપડિયા (૬૪) નામના વૃદ્ધને અગમ્ય કારણોસર વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ અંગેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

આધેડનું મોત

મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા દેવજીભાઈ કમાભાઈ ચાવડા (૫૫)ને છાતીમાં દુખાવો ઉપાડતા તેઓનું મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News