મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે દવા છાંટતા ઝેરી અસર થવાથી યુવાનનું મોત


SHARE













 

મોરબીના નારણકા ગામે દવા છાંટતા ઝેરી અસર થવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના નારણકા ગામે ખેતરમાં દવા છાંટવાની કામગીરી દરમિયાન યુવાને ઝેરી અસર થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જો કે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નારણકા ગામે ખેતરમાં દવા છાંટવાની કામગીરી ચાલુ હતી ત્યારે નાનજીભાઈ અન્યાભાઈ દાણા (ઉમર ૨૫) ખેતરમાં દવા છાંટવાનું કામ કરી રહ્યા હતા અને તેને ઝેરી અસર થવાથી મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે યુવાનને સારવાર કારગત ન નિવડતા નાનજીભાઈ દાણાનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે

ઝેરી અસર

માળીયા(મી) તાલુકાના કુંતાસી ગામે રહેતા સંજયભાઈ ભોપા અને તેના પત્ની અસ્મિતાબેન ભોપા (૨૫) પોતાના ખેતરની અંદર ગઇકાલે સવારે આઠેક વાગ્યે દવાનો છંટકાવ કરવા માટે ગયા હતા અને કામગીરી પૂરી કરીને ૧૧ વાગ્યે બન્ને ઘરે પરત આવ્યા હતા અને ત્યારબાદ અસ્મિતાબેને તેના પતિ સંદીપભાઈને કહ્યું હતું કે "મને ઝેરી દવાની અસર થઇ હોય તેવું લાગી રહ્યું છે" જેથી કરીને તેઓને મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News