મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે દવા છાંટતા ઝેરી અસર થવાથી યુવાનનું મોત


SHARE













 

મોરબીના નારણકા ગામે દવા છાંટતા ઝેરી અસર થવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના નારણકા ગામે ખેતરમાં દવા છાંટવાની કામગીરી દરમિયાન યુવાને ઝેરી અસર થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જો કે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નારણકા ગામે ખેતરમાં દવા છાંટવાની કામગીરી ચાલુ હતી ત્યારે નાનજીભાઈ અન્યાભાઈ દાણા (ઉમર ૨૫) ખેતરમાં દવા છાંટવાનું કામ કરી રહ્યા હતા અને તેને ઝેરી અસર થવાથી મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે યુવાનને સારવાર કારગત ન નિવડતા નાનજીભાઈ દાણાનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે

ઝેરી અસર

માળીયા(મી) તાલુકાના કુંતાસી ગામે રહેતા સંજયભાઈ ભોપા અને તેના પત્ની અસ્મિતાબેન ભોપા (૨૫) પોતાના ખેતરની અંદર ગઇકાલે સવારે આઠેક વાગ્યે દવાનો છંટકાવ કરવા માટે ગયા હતા અને કામગીરી પૂરી કરીને ૧૧ વાગ્યે બન્ને ઘરે પરત આવ્યા હતા અને ત્યારબાદ અસ્મિતાબેને તેના પતિ સંદીપભાઈને કહ્યું હતું કે "મને ઝેરી દવાની અસર થઇ હોય તેવું લાગી રહ્યું છે" જેથી કરીને તેઓને મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News