રેન્જ આઇજીના આદેશની તાત્કાલિક અમલવારી: મોરબીમાં શાળા કોલેજ પાસે પોલીસનું ચેકિંગ શરૂ
ટંકારાના જીવાપર ગામે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મૃતિભવનનુ લોકાર્પણ
SHARE
ટંકારાના જીવાપર ગામે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મૃતિભવનનુ લોકાર્પણ
ટંકારા તાલુકાના જીવાપર ગામે વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક વેદ તરફ પાછા વળોનુ સુત્ર આપનાર કુરીવાજો સતિપ્રથા સહિતની બંદી સાથે બાથ ભીડી આર્ય સમાજની સ્થાપના કરનાર ભારતના ભિષમપિતા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મૃતિભવનનુ નવું નિર્માણ કરવામાં આવ્યું છે તેને નગરજનો હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને આર્ય સમાજ મંદિરે હવે વૈદિક કાર્યક્રમો સમાજ જાગૃતિના કાર્ય હાથ ધરવામાં આવશે. આ તકે વાલજીભાઈ ઢોલરીયા, જસમતભાઈ હાપલિયા (અમદાવાદ), ભાવેશભાઈ હાપલિયા, મહાદેવભાઇ રંગપરીયા, કાનજીભાઈ લુણાગરિયા કાંતિભાઈ ડાકા સહિતના ગ્રામજનો આમંત્રિત અતિથી હાજર રહ્યા હતા