હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં ૩ ગામનો વર્ષો જૂનો મહેસૂલી પ્રશ્ન પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયાસોથી ઉકેલાયો


SHARE













મોરબી તાલુકાનાં ૩ ગામનો વર્ષો જૂનો મહેસૂલી પ્રશ્ન પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયાસોથી ઉકેલાયો

મોરબી તાલુકાનાં જૂના અને નવા સાદૂળકા સાથે મહેસૂલી દફ્તરથી જોડાયેલા ભરતનગર, લક્ષ્મીનગર અને અમરનગર ગામનો રેવન્યુ રકબો અલગ કરી મહેસૂલી ગામો જાહેર કરવાનો પ્રશ્ન ૨૫ વર્ષથી પડતર હતો. આ ત્રણેય ગામના આગેવાનોએ મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ રજૂઆત કરતાં વર્ષો જૂનો પ્રશ્ન તેમણે પોતાની વહીવટ સુઝ અને કામ પાર પાડવા સતત ફોલોઅપ લેતા ભાજપ સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ બાબતે મંજૂરી આપતા આ પ્રશ્ન ઉલેકાયો છે. બ્રિજેશભાઈ મેરજાએ આ કામનો શ્રેય તાલુકા -જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપ્યો છે.

વધુમાં બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, આ પ્રશ્નના નિરાકરણનો સમગ્ર શ્રેય તેમણે ભાજપ સંગઠન અને સરકારને આપ્યો છે પોતે માત્ર નિમિત છે. આમ, ૨૫ વર્ષ જૂનો જટીલ પ્રશ્ન ઉકેલાયો એ જ મોટી ઉપલબ્ધી છે જેનો મને ભારે મોટો સંતોષ છે. લોકોની વર્ષો જૂની લાગણી આ રીતે ઉકેલવામાં માન. મુખ્યમંત્રીએ ખાસ નિર્ણય લીધો છે. સાથે વહીવટી તંત્રનો હકારાત્મક સહયોગ તેમજ ગ્રામ આગેવાનોની સમજદારી પણ સરાહનીય છે. ૨૫ વર્ષ જૂનો આ પ્રશ્ન ઉકેલાતા ભરતનગર, લક્ષ્મીનગર અને અમરનગર ગામના લોકોએ બ્રિજેશ મેરજાને અભિનંદન આપી આભાર વ્યક્ત કર્યો હતો. તેના પ્રતિભાવમાં નમ્રભાવે તેમણે કહ્યું કે, મોરબીના ૩ ગામોનો ૨૫ વર્ષ જૂનો મહેસૂલી પ્રશ્ન ઉકેલી મેં માત્ર મારુ કર્તવ્ય નિભાવ્યું છે. પ્રજાના કામો આ રીતે કરતાં રહેવાની નિષ્ઠા તેમણે વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે બ્રિજેશભાઈ મેરજા હાલ કર્ણાટક વિધાન સભાની ચૂંટણીમાં છેલ્લા ૧૦ દિવસથી વ્યસ્ત છે ત્યાંથી ફોન કરીને તેઓનો ત્રણેય ગામના આગેવાનોએ તેઓનો આ કામ માટે આભાર વ્યક્ત કર્યો હતો






Latest News