મોરબીના નારણકા પાસે મચ્છુ-૨ માઇનોર કેનાલના એસ્કેપના ૩.૩૨ કરોડના કામોનુ ખાતમુહૂર્ત કરાયું
SHARE
મોરબીના નારણકા પાસે મચ્છુ-૨ માઇનોર કેનાલના એસ્કેપના ૩.૩૨ કરોડના કામોનુ ખાતમુહૂર્ત કરાયું
મચ્છુ-૨ સિંચાઈ યોજનાના કેનાલ નેટવર્કથી મોરબી તાલુકાના ૧૭ અને માળીયા તાલુકાના ૨ ગામોની ૯૯૯૦ હેકટર જમીનને સિંચાઈ માટે માઇનોર શાખા નહેર ડી-૧, ડી-૨,ડી-૩ દ્વારા પાણી પુરુ પાડવામા આવે છે અને આ ત્રણેય શાખા નહેરના વધારાના પાણી નિકાલ તથા ચોમાસાના પાણીના નિકાલ માટે ભૂમિગત પાઇપલાઇન નાંખીને ફુલકી નદી, બોળા હનુમાન તળાવ તથા પીપળીયા ગામ તળાવમા વધારાના પાણીના સંગ્રહ માટેના કામનુ સાસંદ મોહનભાઇ કુડાંરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતું આ કાર્યક્રમમા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, કૃભકો ડાયરેકટર મગનભાઇ વડાવીયા, મોરબી જીલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન જયતિંભાઇ પડસુબિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, ભુપતભાઇ સવસેટા, પરેશભાઇ રુપાલા, નારણભાઇ મેરજા, ચંદુભાઇ દાવા, નિલેશભાઇ મેરજા, રસિકભાઈ ગામી, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સાવલીયા તથા ડી.ઇ. ભોરણીયા સહિતના હજાર રહ્યા હતા