મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જુદીજુદી બે સંસ્થા દ્વારા બાળાઓને શૈક્ષણિક કિટ અપાઈ ટંકારા તાલુકામાં મંદિર ચોરીના ગુન્હામાં ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડાયો હળવદ-માળીયા (મી) વિસ્તારમાં રેડ દરમ્યાન પકડાયેલ 14,254 બોટલ દારૂ બિયરનો કરાયો નાશ મોરબી જિલ્લા પંચાયતની 4 જુલાઈએ ખાસ સામાન્ય સભાની બેઠક મળશે મોરબી નજીક અકસ્માત સર્જી બાળકનું મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો માળીયા (મી)ના રાયસંગપર ગામે પરણીતા ઉપર તેના જ પતિએ કર્યો છરી વડે હુમલો હળવદના ઢવાણા નજીક જુગારની રેડ પકડાતાં નાશભાગ: 4 શખ્સ 1.12 લાખના મુદામાલ સાથે પકડાયા, 5 ની શોધખોળ માળીયા (મી) નજીકથી આઇસરમાં કતલખાને લઈ જવાતા 15 અબોલજીવને ગૌરક્ષકોએ બચાવ્યા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના નેકનામ ગામે પતિના મોત બાદ માનસીક અસ્વસ્થ રહેતા વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા મોત


SHARE















મોરબીના નેકનામ ગામે પતિના મોત બાદ માનસીક અસ્વસ્થ રહેતા વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા મોત

મોરબી નજીક રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારા તાલુકાના નેકનામ ગામે આદીવાદી વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા તેણીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.નેકનામ ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજુરીનું કામ કરતાં મુળ મધ્યપ્રદેશના વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.વધુમાં ટંકારા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ છ વર્ષ પહેલાં મૃતક આદીવાસી વૃદ્ધાના પતિનું કુદરતી કારણોસર મોત થયું હતુ ત્યારબાદથી તેઓ માનસિક અસ્વસ્થ રહેતા હોય જેને પગલે ગઈકાલે તેમણે ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું જેથી તેમનું મોત નિપજેલ છે. 

મોરબી જીલ્લાના ટંકારા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનાવર તાલુકાના પીપલટોળા ગામના રહેવાસી અને હાલ અહીં ટંકારાના નેકનામ ગામે ગણેશભાઇની વાડીએ રહેતા સુકીબેન ઉર્ફે પાર્વતીબેન શંકરભાઈ ઠાકોર જાતે આદિવાસી નામની ૭૦ વર્ષીય વૃદ્ધાએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેણીનું મોત નીપજ્યું હતું. મૃતક સુકીબેનને ત્રણ સંતાનો છે અને છએક વર્ષ પહેલા તેમના પતિ શંકરભાઈનું કુદરતી કારણોસર મોત નિપજ્યા બાદથી મૃતક સુકીબેન ઉર્ફે પાર્વતીબેન માનસિક અસ્વસ્થ રહેતા હોય અને તેને પગલે ગઈકાલે તા.૧૫-૯ ના બપોરે ચારેક વાગ્યે ઝેરી દવા પી લેતા તેમને પડધરી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાતા ત્યાં રાજકોટ સિવિલ ખાતે તા.૧૫ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં સુકીબેનનું મોત નીપજ્યું હોવાનું તપાસ અધિકારી એએસઆઇ એમ.કે.બ્લોચ પાસેથી જાણવા મળેલ છે.

દવા પી લેતા પરિણીતા સારવારમાં

મૂળ અમરેલીના અને હાલ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના એકોર્ડ સિરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કરતા રોહિતભાઈ જગુભાઈ ખુમાણના પત્ની સોનલબેન (ઉમર ૨૨) એ માથાના દુખાવાથી કંટાળીને અનાજમાં નાખવામાં બોરીક પાવડરની સાથે વધુ પડતી નીંદરની ગોળીઓ પી લેતા તેમને સારવાર માટે સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.તેણીનો લગ્નગાળો બે વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીજ્ઞાશાબેન કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News