મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ વાંકાનેરમાં વાહન ચેકિંગ સમયે કાર ચાલકે પોલીસ કર્મચારીને ઇજા પહોચડતા 3 સામે ગુનો નોંધાયો: બેની ધરપકડ મોરબીમાં અદાણી, અંબાણી અને સરકાર વિરુદ્ધ ડાયરો કરવા ગુજરાતનાં કલાકારોને ચેલેન્જ: બમણો ચાર્જ આપવાની ગુજરાત કિશન સંઘર્ષ સમિતિના આગેવાન તૈયાર મોરબીમાં સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર ડોક્ટરના રિમાન્ડ મંજૂર ટંકારાના છતર નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનને મોઢામાં સાત ટાંકા આવ્યા: હાથમાં ફેકચર
Breaking news
Morbi Today

માળીયા(મી)ના બગસરા ગામે ચેરીયા વૃક્ષોને મળતું દરિયાનું પાણી રોકનારા અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE













માળીયા(મી)ના બગસરા ગામે ચેરીયા વૃક્ષોને મળતું દરિયાનું પાણી રોકનારા અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ

માળીયા તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં દરિયાકાંઠો લાગતો હોય ત્યાં ચેરીયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે આવી જ રીતે માળીયા તાલુકાના બગસરા ગામની સીમમાં પણ ચેરીયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જો કે ચેરીયા વૃક્ષોને દરીયામાં વહોતુ પાણી ન મળે તે રીતે આડા પાળા બનાવી દેવામાં આવ્યા હોય હાલમાં જીપીસીબીના અધિકારીઓ દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ છે જેથી કરીને પોલીસે પર્યાવરણને નુકસાન સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં આવેલ ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડની પ્રાદેશિક કચેરીના અધિકારી કૃષ્ણકુમાર ભારથાજી વાઘેલા (ઉંમર વર્ષ ૫૭) એ હાલવા માળિયા(મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે માળીયા તાલુકાના બગસરા ગામની સીમમાં રીયલ રીફાઇન શોલ્ટ એન્ડ એલઇડ ઇન્ડ્રસ્ટીઝ પ્રા.લી. તથા સીસાઇડ સોલ્ટ પ્રા.લી. નિલ સર્વે નંબરની જમીન પાસેના વિસ્તારની અંદર ગેરકાયદેસર કરીને કુદરતી રીતે દરિયામાં વહેતા પાણીને રોકવા માટે થઈને પાણીના વહેણની વચ્ચે પાળા બાંધી દેવામાં આવ્યા છે અને પાણી રોકી લેવામાં આવ્યું છે જેથી કરીને ત્યાં વાવવામાં આવેલ ચેરીયા વૃક્ષોને જરૂરી પાણી ન મળવાના કારણે પર્યાવરણને નુકશાન થાય છે અને હાલમાં આ અંગે તેમણે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પર્યાવરણને નુકસાન અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૮૩, ૪૪૭, ૧૧૪ અને ઇપી કલમ ૧૯૮૬ની કલમ ૧૫ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News