મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા(મી)ના બગસરા ગામે ચેરીયા વૃક્ષોને મળતું દરિયાનું પાણી રોકનારા અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE













માળીયા(મી)ના બગસરા ગામે ચેરીયા વૃક્ષોને મળતું દરિયાનું પાણી રોકનારા અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ

માળીયા તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં દરિયાકાંઠો લાગતો હોય ત્યાં ચેરીયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે આવી જ રીતે માળીયા તાલુકાના બગસરા ગામની સીમમાં પણ ચેરીયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જો કે ચેરીયા વૃક્ષોને દરીયામાં વહોતુ પાણી ન મળે તે રીતે આડા પાળા બનાવી દેવામાં આવ્યા હોય હાલમાં જીપીસીબીના અધિકારીઓ દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ છે જેથી કરીને પોલીસે પર્યાવરણને નુકસાન સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં આવેલ ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડની પ્રાદેશિક કચેરીના અધિકારી કૃષ્ણકુમાર ભારથાજી વાઘેલા (ઉંમર વર્ષ ૫૭) એ હાલવા માળિયા(મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે માળીયા તાલુકાના બગસરા ગામની સીમમાં રીયલ રીફાઇન શોલ્ટ એન્ડ એલઇડ ઇન્ડ્રસ્ટીઝ પ્રા.લી. તથા સીસાઇડ સોલ્ટ પ્રા.લી. નિલ સર્વે નંબરની જમીન પાસેના વિસ્તારની અંદર ગેરકાયદેસર કરીને કુદરતી રીતે દરિયામાં વહેતા પાણીને રોકવા માટે થઈને પાણીના વહેણની વચ્ચે પાળા બાંધી દેવામાં આવ્યા છે અને પાણી રોકી લેવામાં આવ્યું છે જેથી કરીને ત્યાં વાવવામાં આવેલ ચેરીયા વૃક્ષોને જરૂરી પાણી ન મળવાના કારણે પર્યાવરણને નુકશાન થાય છે અને હાલમાં આ અંગે તેમણે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પર્યાવરણને નુકસાન અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૮૩, ૪૪૭, ૧૧૪ અને ઇપી કલમ ૧૯૮૬ની કલમ ૧૫ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News