મોરબી જેતપર રોડ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને કચડ્યું-યુવાનનું મોત, ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત પાસેની મોટી રકમ પરિવારનો સુપ્રત કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીના કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પર્યાવરણ ચિંતન શિબિર યોજાઇ


SHARE











મોરબીના કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પર્યાવરણ ચિંતન શિબિર યોજાઇ

મોરબીના કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પર્યાવરણ ચિંતન શિબિરમાં સમગ્ર મોરબી જિલ્લાના એકસોથી વધું પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળી પર્યાવરણ વિષય પર ફળદાયી ચિંતન કર્યું હતું અને  આ શિબિરમાં દીલીપકુમાર પૈજા(કથાકાર), સી.જે. પટેલ (નિવૃત્ત કલેકટર), ડૉ. પનારા, સરડવા, વી.ડી. બાલા, ડૉ.મનુભાઈ કૈલા, જીલેશભાઇ કાલરિયા, પ્રાણજીવન કાલરિયા, જીવરાજબાપા, અંબાલાલ કુંડારિયા, મહેશભાઈ ભોરણિયા, નરભેરામભાઇ સરડવા, મણીભાઈ ગડારા, ડૉ. મધુસુદન પાઠક, દાજીભાઇ ગોહિલ, જશુભા જાડેજા, ભરતભાઇ કાલરિયા વગેરે મહાનુભાવો હાજર હતાં. ત્યારે આ શિબિરમાં હાજર લોકોનું "પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ" બનાવવામાં આવેલ છે. અને આ શિબિરમાં હાજર નથી રહી શકેલ તેવા પર્યાવરણ પ્રેમીઓને આ મંડળમાં જોડાવા આહ્વાન કરાયું છે. આગામી દિવસોમાં ગામેગામ ૭ વ્યક્તિની સમિતિ બનાવી કામનું આયોજન થશે. આ સમિતિમાં પર્યાવરણ પ્રેમીઓ, શિક્ષક, સરપંચ, ધાર્મિક સંસ્થાન અને સ્થાનિક ઉદ્યોગપતિને સામેલ કરાશે. આ જ રીતે તાલુકા કક્ષાની ટીમ અને જિલ્લા કક્ષાની ટીમ બનાવવાની છે. જિલ્લા કક્ષાએ બે ટીમ બનાવી એક ટીમને ઉદ્યોગકારો સાથે સંકલન કરી કામને વેગ આપવાની જવાબદારી અપાશે. આ ચિંતન શિબિરમાં ચર્ચા સત્રનું સંચાલન ડૉ. મનુભાઈ કૈલાએ સંભાળેલ હતુ અને વી.ડી. બાલાએ નવરંગ નેચર ક્લબની પ્રવૃત્તિઓની ઝલક આપી હતી તેમજ મોરબીના પ્રખ્યાત પર્યાવરણ પ્રેમી લેખકના છઠ્ઠા પુસ્તક "ફળપાકોની પ્રાકૃતિક ખેતી" નું વિમોચન કરાયું હતુ આ સમગ્ર કાર્યક્રમના સંચાલનની જવાબદારી જીલેશભાઇ કાલરિયાએ નિભાવેલ હતી






Latest News