મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ
Breaking news
Morbi Today

મોરબીના કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પર્યાવરણ ચિંતન શિબિર યોજાઇ


SHARE













મોરબીના કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પર્યાવરણ ચિંતન શિબિર યોજાઇ

મોરબીના કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે પર્યાવરણ ચિંતન શિબિરમાં સમગ્ર મોરબી જિલ્લાના એકસોથી વધું પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળી પર્યાવરણ વિષય પર ફળદાયી ચિંતન કર્યું હતું અને  આ શિબિરમાં દીલીપકુમાર પૈજા(કથાકાર), સી.જે. પટેલ (નિવૃત્ત કલેકટર), ડૉ. પનારા, સરડવા, વી.ડી. બાલા, ડૉ.મનુભાઈ કૈલા, જીલેશભાઇ કાલરિયા, પ્રાણજીવન કાલરિયા, જીવરાજબાપા, અંબાલાલ કુંડારિયા, મહેશભાઈ ભોરણિયા, નરભેરામભાઇ સરડવા, મણીભાઈ ગડારા, ડૉ. મધુસુદન પાઠક, દાજીભાઇ ગોહિલ, જશુભા જાડેજા, ભરતભાઇ કાલરિયા વગેરે મહાનુભાવો હાજર હતાં. ત્યારે આ શિબિરમાં હાજર લોકોનું "પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ" બનાવવામાં આવેલ છે. અને આ શિબિરમાં હાજર નથી રહી શકેલ તેવા પર્યાવરણ પ્રેમીઓને આ મંડળમાં જોડાવા આહ્વાન કરાયું છે. આગામી દિવસોમાં ગામેગામ ૭ વ્યક્તિની સમિતિ બનાવી કામનું આયોજન થશે. આ સમિતિમાં પર્યાવરણ પ્રેમીઓ, શિક્ષક, સરપંચ, ધાર્મિક સંસ્થાન અને સ્થાનિક ઉદ્યોગપતિને સામેલ કરાશે. આ જ રીતે તાલુકા કક્ષાની ટીમ અને જિલ્લા કક્ષાની ટીમ બનાવવાની છે. જિલ્લા કક્ષાએ બે ટીમ બનાવી એક ટીમને ઉદ્યોગકારો સાથે સંકલન કરી કામને વેગ આપવાની જવાબદારી અપાશે. આ ચિંતન શિબિરમાં ચર્ચા સત્રનું સંચાલન ડૉ. મનુભાઈ કૈલાએ સંભાળેલ હતુ અને વી.ડી. બાલાએ નવરંગ નેચર ક્લબની પ્રવૃત્તિઓની ઝલક આપી હતી તેમજ મોરબીના પ્રખ્યાત પર્યાવરણ પ્રેમી લેખકના છઠ્ઠા પુસ્તક "ફળપાકોની પ્રાકૃતિક ખેતી" નું વિમોચન કરાયું હતુ આ સમગ્ર કાર્યક્રમના સંચાલનની જવાબદારી જીલેશભાઇ કાલરિયાએ નિભાવેલ હતી






Latest News