મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરા પાસે ગળાફાંસો ખાઇ જતાં યુવાનનું મોત


SHARE











મોરબીના મહેન્દ્રપરા પાસે ગળાફાંસો ખાઇ જતાં યુવાનનું મોત

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં યુવાન ગળેફાંસો ખાઇ જતાં તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડીને બનાવના કારણ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતો તુષાર કરશનભાઈ સવધાર નામનો ૧૮ વર્ષીય યુવાન મોરબીના મહેન્દ્રપરા નજીક આવેલ આસ્વાદ પાનની બાજુમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ જતાં તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વી.પી.છાસીયાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ચારને ઇજા

મોરબીના સામાકાંઠે નજરબાગ વિસ્તારમાં સાયન્સ કોલેજની પાછળ રહેતા રાહુલ સોમાભાઇ કોળી નામના ૩૫ વર્ષીય યુવાનને મારામારીમાં ઇજા થતાં તેને મોડી રાત્રીના સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ફિલ્ટર હાઉસ પાસે રહેતા રમેશ કરશનભાઈ નામના ૩૮ વર્ષીય યુવાનને શહેરના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા તેને પણ સારવાર માટે મોડી રાત્રીના સિવિલ હોસ્પિટલે લઇ જવાયો હતો બંને બનાવો અંગે બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરા વિસ્તારમાં રહેતા કાનજીભાઈ વીરાભાઇ બળધા નામના ૬૦ વર્ષીય વૃદ્ધને તેમના ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા.તેમજ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા ધર્મેશ વરસીંગભાઇ હળવદિયા નામના ૩૪ વર્ષીય યુવીનને પણ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.

 






Latest News