મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો GPF એકાઉન્ટનો પ્રશ્ન ઉકેલા રાજ્યમંત્રી બ્રિજેશભાઇની સચિવને સૂચન


SHARE







મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો GPF એકાઉન્ટનો પ્રશ્ન ઉકેલા રાજ્યમંત્રી બ્રિજેશભાઇની સચિવને સૂચન

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ આજની તારીખે પણ રાજકોટ જિલ્લામાં છે જેથી કરીને શિક્ષકોને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના આગેવાનો રાજ્યના પાંચાયત વિભાગના મંત્રીને રૂબરૂ રજૂઆત કરવા માટે ગાંધીનગર ગયા હતા અને રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજા (brijesh merja) એ તાત્કાલિક પ્રશ્ન ઉકેલવા માટે તેના અધિકારીઓને સૂચના આપી હતી જેથી આ વર્ષો જૂનો પ્રશ્ન હવે નજીકના સમયમાં જ ઉકેલાઈ જાય તેવી શક્યતા છે

મોરબી - માળીયા (મી.) વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો ગુજરાત સરકારના નવા પ્રધાન મંડળમાં સમાવેશ કરવામાં આવેલ છે અને તેઓને શ્રમ, રોજગાર,પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે ત્યારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે તેઓને રૂબરૂ શુભેચ્છા પાઠવવા માટે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઈ આર.હુંબલ, મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખ મણીલાલ વી. સરડવા તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રચાર મંત્રી નરેન્દ્રભાઈ ગોહેલ પહોચ્યા હતા ત્યારે રાજકોટ જિલ્લામાથી વર્ષ ૨૦૧૫ થી મોરબી જિલ્લો અલગ થઈ ગયો છે જો કે, આજદિન સુધી મોરબી જિલ્લાના શિક્ષકોના જી.પી.એફ. ખાતા રાજકોટથી મોરબી ટ્રાન્સફર કરવામાં આવેલ નથી જેથી શિક્ષકોને હેરના થવું પડે છે જે અંગેની રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને રજૂઆત કરી હતી જેથી તેઓએ તેમના અધિકારીને ત્વરિત આ કામ કરવા માટે સચિવને બોલાવી સૂચના આપી દીધી છે જેથી કરીને મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ  રાજકોટ જિલ્લામાંથી મોરબી જિલ્લામાં તબદીલ થવાનું કામ ઝડપથી થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News