મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો GPF એકાઉન્ટનો પ્રશ્ન ઉકેલા રાજ્યમંત્રી બ્રિજેશભાઇની સચિવને સૂચન


SHARE











મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો GPF એકાઉન્ટનો પ્રશ્ન ઉકેલા રાજ્યમંત્રી બ્રિજેશભાઇની સચિવને સૂચન

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ આજની તારીખે પણ રાજકોટ જિલ્લામાં છે જેથી કરીને શિક્ષકોને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના આગેવાનો રાજ્યના પાંચાયત વિભાગના મંત્રીને રૂબરૂ રજૂઆત કરવા માટે ગાંધીનગર ગયા હતા અને રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજા (brijesh merja) એ તાત્કાલિક પ્રશ્ન ઉકેલવા માટે તેના અધિકારીઓને સૂચના આપી હતી જેથી આ વર્ષો જૂનો પ્રશ્ન હવે નજીકના સમયમાં જ ઉકેલાઈ જાય તેવી શક્યતા છે

મોરબી - માળીયા (મી.) વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો ગુજરાત સરકારના નવા પ્રધાન મંડળમાં સમાવેશ કરવામાં આવેલ છે અને તેઓને શ્રમ, રોજગાર,પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે ત્યારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે તેઓને રૂબરૂ શુભેચ્છા પાઠવવા માટે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઈ આર.હુંબલ, મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખ મણીલાલ વી. સરડવા તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રચાર મંત્રી નરેન્દ્રભાઈ ગોહેલ પહોચ્યા હતા ત્યારે રાજકોટ જિલ્લામાથી વર્ષ ૨૦૧૫ થી મોરબી જિલ્લો અલગ થઈ ગયો છે જો કે, આજદિન સુધી મોરબી જિલ્લાના શિક્ષકોના જી.પી.એફ. ખાતા રાજકોટથી મોરબી ટ્રાન્સફર કરવામાં આવેલ નથી જેથી શિક્ષકોને હેરના થવું પડે છે જે અંગેની રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને રજૂઆત કરી હતી જેથી તેઓએ તેમના અધિકારીને ત્વરિત આ કામ કરવા માટે સચિવને બોલાવી સૂચના આપી દીધી છે જેથી કરીને મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ  રાજકોટ જિલ્લામાંથી મોરબી જિલ્લામાં તબદીલ થવાનું કામ ઝડપથી થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News