મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વાદી સમાજને કોરોના રસી માટેની ગેરમાન્યતાઓથી દૂર રહેવા અપીલ


SHARE











મોરબી જિલ્લામાં વાદી સમાજને કોરોના રસી માટેની ગેરમાન્યતાઓથી દૂર રહેવા અપીલ

કોરોના મહામારી સામે રસીકરણએ અમોઘ શસ્ત્ર છે. કોરોના રસીને લઇને હજુ પણ લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોવાથી સમાજના અગ્રણીઓ, સામાજિક આગેવાનો, સ્થાનિક પદાધિકારીઓ વહિવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર સાથે રહીને ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે વિચરતી  વિમુક્ત જાતિ અને અન્ય સમાજના લોકો પણ રસીકરણ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે વાદી સમાજના અગ્રણી કુંવરનાથ સોલંકીએ સમાજના લોકોને કોરોના રસી બાબતની ગેરમાન્યતાઓ, ભ્રમણાઓ તેમજ  અંધશ્રદ્ધા ત્યજીને કોરોનાની રસી લેવા માટે અપીલ કરી છે.

મોરબી તાલુકાના મકનસરના વાદી સમાજના અગ્રણી કુંવરનાથ સોલંકીએ કોરોના રસી લઇને જણાવ્યું હતું કે, સ્થાનિક આગેવાનો, ડૉક્ટર અને આરોગ્ય સ્ટાફનો ખૂબ જ સહયોગ મળ્યો છે. કોરોનાની રસી વિનામુલ્યે આપવામાં આવી છે ત્યારે કોરોના રસી અંગે સમાજમાં ગેરમાન્યતાઓ અને ભ્રમણાઓ ફેલાવાતી હોય તો તેને દૂર કરીને લોકોને કોરોના રસીકરણ અભિયાન અને જરૂરિયાત અંગે તેઓ માહિતગાર કરીશ અને કોરોના રસીથી લોકો ગભરાયા છે તે અંગે સાચી વાત લોકોને સમજાવીને વધુને વધુ રસીકરણ થાય તેવા પ્રયાસો તેના દ્વારા હાથ ધરવામાં આવશે






Latest News