માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતડીયા ગામે માલધારી સમાજના વિકાસ મુદ્દે મીટિંગ યોજાઈ


SHARE

















વાંકાનેરના રાતડીયા ગામે માલધારી સમાજના વિકાસ મુદ્દે મીટિંગ યોજાઈ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે માલધારી સમાજની મીટિંગ યોજાઈ હતી જેમાં માલધારી સમાજનાં વિવિધ પ્રશ્નો અને સમાજનાં વિકાસ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

રાતડીયા ગામે તા. 23 નાં રોજ સમગ્ર માલધારી સમાજની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં નાનાભાઈ - મોટાભાઈ ભરવાડ સમાજનાં બન્ને જુથ એકત્રિત થયા હતાં, અને સમાજનાં નાના મોટા પ્રશ્નો સૌ આગેવાનોએ સાથે બેસી હલ કર્યા હતાં, અને સૌ સાથે મળીને માલધારી સમાજનાં વિકાસ કાર્યો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં મચ્છુ ધામ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અને તાલુકા ભાજપ મહામંત્રી હીરાભાઈ એન. બાંભવા, અરજણભાઈ ડાભી, ગેલાભાઈ મુંધવા, મશરૂભાઈ સરૈયા, મશરૂભાઈ મુંધવા, સિંધાભાઈ ભૂવા, નાનાભાઈનાં અગ્રણી નાજાભાઈ, ગગજી ભાઈ, વિઠ્ઠલભાઈ, વાંકાનેર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભગવાનજી ભાઈ મેર, સહિત ગામેગામનાં આગેવાનોએ સાથે બેસી માલધારી સમાજનાં વિકાસ કાર્યો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.




Latest News