મોરબી જિલ્લામાં ચાલો માતૃભૂમિનું ઋણ ચુકવીએ માટીને નમન અને વીરોને વંદન કરીએ કાર્યક્રમ યોજાશે
મોરબીમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે ગીતા જ્ઞાન કસોટી યોજાશે
SHARE
મોરબીમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે ગીતા જ્ઞાન કસોટી યોજાશે
મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા ગીતાજ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી તાલુકામાં આવેલ સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ગીતા જ્ઞાન કસોટીમાં ભાગ લઈ શકે છે
ભગવદ્દ ગીતાનું ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખે નિર્માણ થયેલ છે ભગવદ્દ ગીતાએ દુનિયાનો મહાનતમ ગ્રંથ છે, દેશ અને દુનિયા લોકો સંતો-મહંતો રાજપુરુષો, વૈજ્ઞાનિકોએ ગીતામાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ત્યારે આજની પેઢી આજના બાળકો, આજના વિદ્યાર્થીઓ પણ ભગવદ્દગીતાને જાણે, સમજે એ માટે આ પ્રમાણે ગીતાજ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે આ ગીતાજ્ઞાન કસોટી બે વિભાગમાં લેવાશે ધો.૯ થી ૧૨ અને કોલેજ વિભાગ રાખવામા આવેલ છે આ કસોટી ઓબ્જેક્ટિવ પ્રકારની હશે. અને જવાબ યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા આપવામાં આવેલ પેપરમાં જ લખવાના રહેશે આ કસોટી તા. ૧૭ ઓગસ્ટને ગુરુવારે શાળા કોલેજ કક્ષાએ લેખિતમાં લેવામાં આવશે અને પેપરો યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા આપવામાં આવશે અને શાળા તેમજ કોલેજ કક્ષાએ બંને વિભાગમાંથી ત્રણ ત્રણ નંબર પ્રાપ્ત કરનારને તાલુકા કક્ષાએ ફરીવાર કસોટી આપવાની રહેશે અને તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનારને વિશિષ્ટ ઈનામો આપવામાં આવશે અને ગીતાજ્ઞાન કસોટીમાં ઉત્તમ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન માટે વિશિષ્ટ સમારોહનું આયોજન કરવામાં આવશે. જે સંસ્થા માંથી વિદ્યાર્થીઓ ભાગ લેવાના હોય તેઓને શાળા માટે દિનેશ વડસોલા (૯૮૨૫૯૧૩૩૩૪) અને કોલેજ માટે રવીન્દ્ર ભટ્ટ ૯૮૯૮૨૮૮૭૭૭) ઉપર સંપર્ક કરવાનો રહેશે









