મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી મોરબી: NMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે ગીતા જ્ઞાન કસોટી યોજાશે


SHARE













મોરબીમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે ગીતા જ્ઞાન કસોટી યોજાશે

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા ગીતાજ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી તાલુકામાં આવેલ સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ગીતા જ્ઞાન કસોટીમાં ભાગ લઈ શકે છે

ભગવદ્દ ગીતાનું ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખે નિર્માણ થયેલ છે ભગવદ્દ ગીતાએ દુનિયાનો મહાનતમ ગ્રંથ છે, દેશ અને દુનિયા લોકો સંતો-મહંતો રાજપુરુષો, વૈજ્ઞાનિકોએ ગીતામાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ત્યારે આજની પેઢી આજના બાળકો, આજના વિદ્યાર્થીઓ પણ ભગવદ્દગીતાને જાણે, સમજે એ માટે આ પ્રમાણે ગીતાજ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે આ ગીતાજ્ઞાન કસોટી બે વિભાગમાં લેવાશે ધો.૯ થી ૧૨ અને કોલેજ વિભાગ રાખવામા આવેલ છે આ કસોટી ઓબ્જેક્ટિવ પ્રકારની હશે. અને જવાબ યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા આપવામાં આવેલ પેપરમાં જ લખવાના રહેશે આ કસોટી તા. ૧૭ ઓગસ્ટને ગુરુવારે શાળા કોલેજ કક્ષાએ લેખિતમાં લેવામાં આવશે અને પેપરો યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા આપવામાં આવશે અને શાળા તેમજ કોલેજ કક્ષાએ બંને વિભાગમાંથી ત્રણ ત્રણ નંબર પ્રાપ્ત કરનારને તાલુકા કક્ષાએ ફરીવાર કસોટી આપવાની રહેશે અને તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનારને વિશિષ્ટ ઈનામો આપવામાં આવશે અને ગીતાજ્ઞાન કસોટીમાં ઉત્તમ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન માટે વિશિષ્ટ સમારોહનું આયોજન કરવામાં આવશે. જે સંસ્થા માંથી વિદ્યાર્થીઓ ભાગ લેવાના હોય તેઓને શાળા માટે દિનેશ વડસોલા (૯૮૨૫૯૧૩૩૩૪) અને કોલેજ માટે રવીન્દ્ર ભટ્ટ ૯૮૯૮૨૮૮૭૭૭) ઉપર સંપર્ક કરવાનો રહેશે






Latest News