મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ચાલો માતૃભૂમિનું ઋણ ચુકવીએ માટીને નમન અને વીરોને વંદન કરીએ કાર્યક્રમ યોજાશે


SHARE









મોરબી જિલ્લામાં ચાલો માતૃભૂમિનું ઋણ ચુકવીએ માટીને નમન અને વીરોને વંદન કરીએ કાર્યક્રમ યોજાશે

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશકાર્યક્રમનું આયોજન આગામી તા.૯થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી કરવામાં આવ્યું છે. જે અન્વયે સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લામાં કરવામાં આવેલા આયોજન બાબતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મારી માટી મારો દેશકાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રાએ વર્ચ્યુઅલી જોડાઈને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સાંસદ સાથે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જિલ્લામાં તમામ સ્થળોએ દેશ ભક્તિનું વાતાવરણ ઉભું થાય તે પ્રકારનું વાતાવરણ ઉભું થાય, ગ્રામ્ય કક્ષાએથી માટીના કળશ બ્લોક કક્ષાએ આવે ત્યારે બાઈક, કાર તેમજ સાઉન્ડ સિસ્ટમ સાથે રેલીનું આયોજન કરવામાં આવે વગેરે સુચનો કર્યા હતા.

મારી માટી મારો દેશકાર્યક્રમ થકી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીરો વંદના કરી તેમના પરિવારોનું સન્માન કરવા લોકોને પ્રોત્સાહિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણી ભાવિ પેઢી પણ આઝાદીમાં અમૂલ્ય ત્યાગ કરનાર વીરો વિશે જાણી માતૃભૂમિનું ઋણ સમજે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મારી માટી- મારો દેશકાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં કરવામાં આવેલા આયોજન અંગે પાવર પોઈન્ટ પ્રેસેન્ટેશનની મદદથી વિગતો આપવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, એસપી રાહુલ ત્રિપાઠી સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News