મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા


SHARE













મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જે અંતર્ગત કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપકો પ્રોફેસર જિંનદાસ ગાંધી અને પ્રોફેસર અવચરભાઈ ગોધાણી કે જેઓએ વય નિવૃત્તિ બાદ પણ આ કોલેજમાં ૧૫ વર્ષથી વધુ શિક્ષણ કાર્યમાં સેવા આપી છે અને જેમની પાસે મોરબીની ત્રણ ત્રણ પેઢીઓએ અભ્યાસ કરેલો છે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો તેમજ તેજસ્વીતા અભિવાદન સમારોહ અંતર્ગત જે વિદ્યાર્થીઓએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ યુનિવર્સિટી કક્ષાએ પ્રાપ્ત કરેલ હોય તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો અને સાથે સાથે આજના યુવાનો માટે મોરબીના અગ્રણી તબીબ અને લેખક એવા ડોક્ટર સતિષભાઈ પટેલની એક મોટીવેશન ટોક યોજાઇ હતી. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા. તેજસ્વીતા અભિવાદન સમારોહ અંતર્ગત તમામ તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પી.જી. પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, સંસ્થાના આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ, વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારા તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News