મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ ચન્દ્રયાન-૩ ના સફળ લેન્ડિંગ માટે કરી પ્રાર્થના
મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
SHARE
મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા જાતે તૈયાર કરેલી કુલ ૨૫ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં બિન પરંપરાગત વિધુત સ્ત્રોતથી માનવજીવન અને પર્યાવરણનું રક્ષણ, 3D હોલોગ્રામ, ગ્લોબલ વોર્મિંગ આધારિત, હવાના દબાણ, જળ વ્યવસ્થાપન, ચકડોળ જેવી કૃતિઓ વૈજ્ઞાનિક સિદ્ધાંત સહીત રજુ કરવામાં આવી હતી. આ કૃતિઓને તૈયાર કરવા માટે શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષકો પ્રફુલભાઈ સાણંદિયા અને અનિલભાઈ સરસાવાડીયાએ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું શાળાના આચાર્ય તુષારભાઈ બોપલિયા અને સમગ્ર સ્ટાફે કૃતિઓનું નિરીક્ષણ કરીને બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી હતી.