મોરબીના જેતપર ગામે 23 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે બેઠક કર્યા બાદ નક્કી કરાશે વીજ પોલ વળતર માટે આંદોલન પાર્ટ 3 ની રણનીતિ મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ મોરબી જીલ્લામાં આગામી શનિવારે લોક અદાલતનું આયોજન મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે
Breaking news
Morbi Today

રાખડી બાંધવા-જનોઈ બદલાવવા મોરબીના ભાગવતાચાર્યનું સચોટ માર્ગદર્શન


SHARE







રાખડી બાંધવા-જનોઈ બદલાવવા મોરબીના ભાગવતાચાર્યનું સચોટ માર્ગદર્શન

શ્રાવણ મહિનામાં બહેનો તેના ભાઈને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતી હોય છે અને તેની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે આ તહેવારની દરેક બહેન રાહ જોતી હોય છે ત્યારે રક્ષાબંધન માત્ર ને માત્ર રાખડી બાંધવાનો જ તહેવારો નથી પરંતુ બ્રાહ્મણો માટે પણ મોટામાં મોટો તહેવાર શાસ્ત્ર મુજબ ગણવામાં આવેલ છે

મોરબીમાં રહેતા જ્યોતિષાચાર્ય, સાહિત્યાચાર્ય અને ભાગવતાચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યાએ જણાવ્યુ છે કેબ્રાહ્મણો રક્ષાબંધનના દિવસે શ્રાવણી ઉપાકર્મ યજ્ઞોપવિત બદલવી એટલે કે જનોઈ બદલાવે છે ત્યારે જનોઈ બદલાવવાના સમયને લઈને ગળમથલ ત્યારે થાય જ્યારે શુભ મુહૂર્તો ગોતવાની તાલાવેલી લાગે આ વખતે રક્ષાબંધન ૩૦/૮/૨૦૨૩ બુધવારે કે ૩૧/૮/૨૦૨૩ ગુરુવાર તેને લઈને લોકોમાં ચર્ચા છે ત્યારે રક્ષાબંધનનો દિવસે ભદ્રા આવે છે ત્યારે સવાલ એ ઊભો થાય કે રાત્રે તો કંઈ થોડી રાખડી બંધાય” એનો સચોટ અને શાસ્ત્ર મુજબ જવાબ શ્રાવણ સુદ ૧૩ ને મંગળવારના તા.૨૯/૮/૨૩ ના રોજ શ્રવણ નક્ષત્ર આવે છે. જે સૂર્યોદયથી રાત્રે ૧૧:૫૦ સુધી છે. બીજે દિવસે શ્રાવણ સુદ ચૌદશના બુધવાર તા.૩૦/૮/૨૩ ના રોજ ચૌદશ તિથિ સવારે ૧૦:૫૯ સુધી છે. પૂર્ણિમા તિથિ સવારે બેસી જાય છે હવે શ્રવણ નક્ષત્ર ન મળે તો શ્રાવણી કરવી યોગ્ય છેજનોઈ બદલવા માટે ઊપાકર્મ કરવા માટે નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ પ્રમાણ આપે છે જનોઈ બદલાવવા માટે શ્રવણ નક્ષત્ર જો પૂર્ણીમાં તિથિમાં મળે તો શ્રેષ્ઠ પરંતુ જો પૂર્ણિમા તિથિમાં મધ્યાનકાલમાં શ્રવણ નક્ષત્ર ન હોય તો પૂર્ણિમા તિથિનો મધ્યાનકાલીન સમય શ્રાવણ સુદ ચૌદશના બુધવાર તા.૩૦/૮/૨૩ ના રોજ ચૌદશ તિથિ સવારે ૧૦:૫૯ સુધી છે. જેથી ત્યારબાદ પૂર્ણિમા તિથિ સવારે બેસી જાય છે જેથી મધ્યાન સંધ્યા થયા બાદ જનોઈ બદલાવવા માટે ૧૦:૫૯ પછી જ શ્રેષ્ઠ મુહૂર્ત છે. અને રાખડી ક્યારે બાંધવી ? ભદ્રાકાલમાં રક્ષાબંધન ન કરવું ભદ્રાકાલમાં રાખડી ન બાંધવી આવું એક વચન છેલ્લા પાંચેક વર્ષ થયા સાંભળીએ છીએ પરંતુ બ્રાહ્મણો માટેનું બ્રહ્મસૂત્રએ ઘણું અગત્યનું છે એવી જ રીતે રક્ષા સુત્ર પણ અતિ મહત્વનું છે ત્યારે તા.૩૦/૮/૨૩ બુધવારના રોજ સવારે ૧૦:૫૯ પછી પૂર્ણિમા હોવાથી બુધવારના જ રક્ષાબંધન રાખડી બાંધી શકાય છે






Latest News