મોરબીમાં શિવમ હોસ્પિટલ સાહિત નવ હોસ્પિટલમાં ફાયરની ટ્રેનીંગ આપવામાં આવી
મોરબીમાં ૨૩૫૬ વિદ્યાર્થીઓએ આપી ભારત કો જાનો પરીક્ષા
SHARE
મોરબીમાં ૨૩૫૬ વિદ્યાર્થીઓએ આપી ભારત કો જાનો પરીક્ષા
મોરબી ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા “ભારત કો જાનો પ્રશ્ન મંચ” શાળાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાની વિવિધ ૧૯ જેટલી શાળાએ ભાગ લીધો હતો જેમાં ધો ૬ થી ૮ ના ૧૫૬૫ વિદ્યાર્થિઓ તથા ધો ૯ થી ૧૨ ના ૭૯૧ વિદ્યાર્થિઓ મળી કુલ ૨૩૫૬ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેથી કરીને પરીક્ષાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવેલ હતા તેવું ભારત કો જાનો પ્રશ્ન મંચ મોરબી શાખાનાના સંયોજક હિરેનભાઈ ધોરિયાણી તથા સહસંયોજક રાવતભાઇ કાનગડની યાદીમાં જણાવ્યુ છે અને વધુમાં કહ્યું છે કે, આ પરીક્ષામાં બન્ને વિભાગમા દરેક વિદ્યાલયમાં પ્રથમ અને દ્વિતીય આવેલા બાળકોનો આંતરીક પ્રશ્ન મંચ( મૌખિક સ્પર્ધા) નો કાર્યક્રમ આગામી સમયમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના તમામ સભ્યોએ ખૂબ મહેનત ઉઠાવી હતી. તેવું અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા, હિંમતભાઈ મારવાણિયા, ચિરાગભાઈ હોથીએ જણાવ્યુ છે