આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા વૃદ્ધ સારવારમાં


SHARE













મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા વૃદ્ધ સારવારમાં

મોરબીના લીલાપર-કેનાલ રોડ ઉપર આવેલ રામકો બંગલો નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર ચાલકે રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ટંકારાના વૃદ્ધને ઇજા થતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા રામકો બંગલોની પાસે વાહન અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવમાં કાનજીભાઈ પરસોતમભાઈ ઉઘરેજા (ઉંમર ૫૩) રહે. વીરપર તા.ટંકારાને ઇજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.વધુમાં બનાવ સંદર્ભે પોલીસના જણાવ્યા પ્રમાણે કાર ચાલકે રિક્ષાને હડફેટે લીધી હતી.જે બનાવમાં ઉપરોક્ત અકસ્માત બનાવ બન્યો હતો અને તેમાં કાનજીભાઈ ઉઘરેજાને ઇજાઓ પહોંચતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.

ટ્રક પલ્ટી જતા ઇજા

મોરબીના હળવદ નજીક વાહન અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ટ્રક પલ્ટી મારી જતા કચ્છના મુન્દ્રા ખાતે રહેતા રણજીતસિંહ તેરસિંહ નામના ૨૪ વર્ષના યુવાનને ઇજા થતા અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. હળવદ નજીક ટ્રકની આડે ઓચિંતી ગાય આવી જતા ગાયને બચાવવા જતા સમયે ટ્રક પલ્ટી મારી ગયો હતો અને તે બનાવમાં રણજીતસિંહને ઈજા થતા મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હોય બનાવને પગલે સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા બનાવની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.તેમ એ ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.મોરબી સિટી એ ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલા બાપા સીતારામ ડેરી પાસે મોડી રાતના મારામારીનો બનાવ બન્યો હતો તે બનાવમાં જીતુભાઈ સુરેશભાઈ ઓડ (ઉમર ૨૦) રહે.શાલીગ્રામ એપાર્ટમેન્ટ રવાપર રોડ વાળાને ઇજા થતા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.મારામારીનો બનાવ કયા કારણોસર બન્યો હતો..? તે દિશામાં પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News