મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના જુના સાદુકળા ગામે બાળવિદુષી રતનબેનની રામદેવ રામાયણ કથાનું આયોજન


SHARE













મોરબીના જુના સાદુકળા ગામે બાળવિદુષી રતનબેનની રામદેવ રામાયણ કથાનું આયોજન

મોરબીના જુના સાદુકળા ગામે શ્રી આધ્ય શકિત માતાજી શકિતધામ જુના સાદુળકા તથા લહેરીયા હનુમાનજી મહારાજના મુખ્ય યજમાન પદે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીજીના શિષ્યા બાળવિદુષી રતનબેનની રામદેવ રામાયણ કથાનું આયોજન કરાયેલ છે. 

મોરબીના જુના સાદુળકા ગામે આવેલ માઁ શકિત આશ્રમ ખાતે આગામી તા.૧૬-૯ થી ૨૨-૯ સુધી કથાનું આયોજન કરાયેલ છે.આ રામદેવ રામાયણ કથામાં અવિનાશી એવા બાબા રામદેવજી મહારાજની પાવન કથા તેમજ ઇતીહાસના પાનાઓમાં અંકીત થયેલા મહાન અવતારી પુરૂષો, જતી-સતી, સંતો-ભકતો અને શુરવિરોના પાવન ચારિત્ર્યનું બાળ વિદુષી રથાકાર રતનબેન તેમની આગવી છટામાં સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.કથા દરમિયાન દરોજ બપોરે ૧૨-૩૦ કલાકે તેમજ સાંજે ૭-૩૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજકો તરફથી આયોજન કરવામાં આવેલ છે.


કથા અંતર્ગત તા.૧૬-૯ ને શનિવારે સવારે ૮-૩૦ કલાકે પોથીયાત્રા યોજાશે અને શુભ ચોઘડીયે થાંભલી રોપશે અને થાંભલી વધાવામાં આવશે. રાત્રીના આધ્યા શકિત માતાજીનો નવરંગો માંડવો યોજાશે.જેમાં રાવલદેવ જીજ્ઞેશભાઈ ડાક-ડમરની રમઝટ બોલાવશે.તા. ૧૭ ના રોજ નંદ મહોત્સવ, તા.૧૮-૯ ના રોજ રામદેવજી મહારાજ પ્રાગટય, તા.૧૯ ના રોજ ભૈરવ ઉધ્ધાર અને તા. ૨૦-૯ ના રોજ રામદેવજી મહારાજના વિવાહ, તા.૨૧-૯ ના રોજ પાટનો મહિમા ગત ગંગાના ભકતોની કથા, તા.૨૨-૯ ના રોજ રામદેવજી મહારાજ સમાધી અને કથાનો વિરામ થશે.જયારે કથા દરમિયાન તા. ૧૬ ના રાત્રે ૯-૩૦ કલાકે જય સિતારામ સંપુટ સતસંગ મંડળ નાની વાવડી દ્વારા સત્સંગ યોજાશે, તા.૧૭ ના રાત્રે ૯-૩૦ કલાકે કિરણબેનનો સંતવાણીનો કાર્યક્રમ યોજાશે, તા.૧૮ ના રાત્રે ૯-૩૦ કલાકે સંતવાણી કલાકાર મીતલબેન કલોલા (બેબી મિતલ) ભક્તોને પ્રભુ ભક્તિમાં તરબોળ કરશે અને તા.૨૦ ના રોજ રાત્રે ૯-૩૦ કલાકે ભજન તથા સાહીત્ય કલાકાર અનોપસિંહ વાઘેલા ભક્તિરસની રમઝટ બોલાવશે.જેથી આ કથાનો લાભ લેવા મહંત કનુભા રઘુભા ઝાલા અને રામધન આશ્રમ (મહેન્દ્રનગર-મોરબી) દ્વારા મોરબીવાસીઓને જાહેર આમંત્રણ પાઠવેલ છે.






Latest News