મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે તૂટી પડ: રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની એસપી સહિતના અધિકારીઓને સ્પષ્ટ સૂચના અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે બૌદ્ધિક કાર્યશાળા મોરબીમાં  મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકેલ કેમ્પ યોજાયો મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-ફાયરની ટીમ દોડી આવી મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE













વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું

વાંકાનેરના માટેલ વીરપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ વીરપર રોડ ઉપર આવેલ અરમાનો સિરામિક વિટ્રીફાઈડ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા કપ્તાનભાઈ આદિવાસી (૨૫) નામના યુવાને લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતક યુવાનને પેરાલીસીસની બીમારી હોય તેનાથી કંટાળીને તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની છે

અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટ શેરી નંબર ૩ માં રહેતા અકબરભાઈ ચાનિયા (૫૮) નામના વૃદ્ધ રવાપર રોડ ઉપર આવેલ નાગરિક બેંક સામેથી સાઇકલમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે સાયકલ ઉપરથી પડી જવાના કારણે તેઓને ઇજા થતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયાએ કરી હતી
 
વૃધ્ધા સારવારમાં
મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડમાં સ્વામિનારાયણ મંદિર નજીક રહેતા ગૌરીબેન જયંતીલાલ ઠાકર (૭૦) નામના વૃદ્ધા પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાં બાઈક સ્લીપ થઈ જતા અકસ્માતના બનાવવામાં ઇજા પામ્યા હતા જેથી કરીને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી



Latest News