મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે સ્થાનિક લોકો દ્વારા પાટીદાર નવરાત્રિનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE













મોરબીના રવાપર ગામે સ્થાનિક લોકો દ્વારા પાટીદાર નવરાત્રિનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબીના રવાપર ગામ પાસે આવેલ શક્તિ સોસાયટી અને રવાપર રેસિડેન્સીની વચ્ચેના ગ્રાઉન્ડમાં નવરાત્રીનું કોમર્શિયલ આયોજન કરવામાં આવ્યું છે ત્યાં નવરાત્રીમાં મોડી રાત સુધી રાસ ગરબા ચાલુ રહેતા તેવી શક્યતા છે જેથી કરીને પ્રેગનેટ મહિલા, બાળકો, વૃદ્ધો સહિતનાઓને તકલીફ થાય તેવી શક્યતા છે જેથી આ આયોજનની સામે સ્થાનિકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને કલેક્ટરને આવેદન પત્ર આપીને નવરાત્રિ માટેના આયોજનનું સ્થળ બદલાવવામાં આવે તેવી માંગ કરી છે  

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર નવરાત્રીના જુદા જુદા સ્થળો ઉપર મોટા આયોજનો કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબી નજીકના રવાપર ગામ પાસે શક્તિ સોસાયટી અને રવાપર રેસિડેન્સીની વચ્ચેના ગ્રાઉન્ડમાં સેવા એ જ સંપત્તિ ટ્રસ્ટ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જોકે, શક્તિ સોસાયટી, રવાપર રેસિડેન્સી સહિતની સોસાયટીની વચ્ચે આવેલા ગ્રાઉન્ડમાં પાટીદાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને જુદી જુદી સોસાયટીઓ અને ૨૫ જેટલા બહુમાળી બાંધકામોમાં રહેતા લોકોમાં પ્રેગનેટ મહિલા, બાળકો, વૃદ્ધો સહિતનાઓને હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે જેથી કરીને નવરાત્રિના આયોજનની સામે વાંધો લઈને તેને આ નવરાત્રિના આયોજનને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી માંગણી કરી છે અને જો તંત્ર દ્વારા તેને ધ્યાને નહીં લેવામાં આવે તો આગામી સમયમાં સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી પણ ચીમકી સ્થાનિક લોકોએ વિચારી છે






Latest News