હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી જતાં યુવાન રાજકોટ ખસેડાયો


SHARE

















મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી જતાં યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા અને મજુરીકામ કરતા યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તાલુકાના કોયલી ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરીકામ કરતા અને મૂળ છોટાઉદેપુર જિલ્લાના જલોદા ગામના રહેવાસી અક્ષય દિનેશભાઈ નાયક નામના ૨૦ વર્ષીય અપરિણીત યુવાને તા.૩૦ ની મોડી રાત્રીના ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ નાજુક હાલત જણાતા અક્ષયને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે બનાવના પગલે તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ નજીક આવેલા જોન્સનગર વિસ્તારમાં રહેતા રજિયાબેન સોહેલભાઈ કોરડીયા નામની ૨૮ વર્ષીય મહિલા ટંકારાથી પરત મોરબી આવતા હતા ત્યારે લજાઈ નજીક રિક્ષા પલ્ટી જવાના બનેલ બનાવમાં ઇજાગ્રસ્ત થયા હતા જેથી કરીને રજિયાબેન સોહેલભાઈને અહિંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવતા કોંઢ ગામના રહેવાસી ગોબરભાઇ અણદાભાઈ હડીયલ નામના ૭૩ વર્ષીય વૃદ્ધ બાઈકના પાછળના ભાગે બેસીને ખેતરેથી પરત ઘરે જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત ગોબરભાઇ હડીયલને પણ અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા કિરણબેન રમેશભાઈ ઠાકોર નામની ૨૪ વર્ષીય મહિલાને તેના ઘરની પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી ગત મોડી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં કિરણબેન ઠાકોરને અહીંની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા જેને પગલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News