મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી જતાં યુવાન રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી જતાં યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા અને મજુરીકામ કરતા યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તાલુકાના કોયલી ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરીકામ કરતા અને મૂળ છોટાઉદેપુર જિલ્લાના જલોદા ગામના રહેવાસી અક્ષય દિનેશભાઈ નાયક નામના ૨૦ વર્ષીય અપરિણીત યુવાને તા.૩૦ ની મોડી રાત્રીના ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ નાજુક હાલત જણાતા અક્ષયને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે બનાવના પગલે તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ નજીક આવેલા જોન્સનગર વિસ્તારમાં રહેતા રજિયાબેન સોહેલભાઈ કોરડીયા નામની ૨૮ વર્ષીય મહિલા ટંકારાથી પરત મોરબી આવતા હતા ત્યારે લજાઈ નજીક રિક્ષા પલ્ટી જવાના બનેલ બનાવમાં ઇજાગ્રસ્ત થયા હતા જેથી કરીને રજિયાબેન સોહેલભાઈને અહિંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવતા કોંઢ ગામના રહેવાસી ગોબરભાઇ અણદાભાઈ હડીયલ નામના ૭૩ વર્ષીય વૃદ્ધ બાઈકના પાછળના ભાગે બેસીને ખેતરેથી પરત ઘરે જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત ગોબરભાઇ હડીયલને પણ અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા કિરણબેન રમેશભાઈ ઠાકોર નામની ૨૪ વર્ષીય મહિલાને તેના ઘરની પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી ગત મોડી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં કિરણબેન ઠાકોરને અહીંની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા જેને પગલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News