માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં આગંડીયા પેઢીના ૩.૯૦ લાખ લૂંટનાર બે લૂંટારુઓ ૧૨ મી સુધી રિમાન્ડ ઉપર


SHARE













મોરબીમાં આગંડીયા પેઢીના ૩.૯૦ લાખ લૂંટનાર બે લૂંટારુઓ ૧૨ મી સુધી રિમાન્ડ ઉપર

મોરબી રવાપર રોડ ઉપર આવેલ લીલાલહેરની બાજુમાં આંગડીયા પેઢીના કર્મચારીને હથિયાર બતાવીને આંખમાં મરચાની ભુકી છાંટીને લુંટ કરવામાં આવી હતી જે ગુનામાં સંડોવાયેલા શખ્સોને દિલ્હીમાં હથિયાર સાથે પકડવામાં આવેલ હતા જેથી કરીને પોલીસે આ આરોપીઓનો ત્યાથી કબજો લઈને આજે બને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટે તેના આગામી ૧૨મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આરોપીઓ પાસેથી પોલીસે લૂંટમાં ગયેલા ૩.૯૦ લાખ રિકવર કર્યા છે


મોરબી પંચાસર રોડ ઉપર સરદાર હીલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા વસંતભાઇ ગંગારામભાઈ બાવરવા પાસેથી આંગડીયામાં આવેલ રોકડા રૂપીયાની લીલા લહેર પાસે મોટર સાયકલ પર આવેલ બે શ્ખ્સોએ મરચાની ભુકી છાંટી લુંટ કરી હતી અને ત્યારે તેને પ્રતિકાર કરતા એક ઇસમે રીવોલ્વર જેવું હથિયાર કાઢી તેને માથામાં બે ત્રણ ઘા મારી ઇજા પહોચાડી હતી અને અમુક રકમની લુંટ કરી નાશી ગયેલ હતા જેથી પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

આ ગુનામ સંડોવાયેલ જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ (૨૫) રહે. મૂળ બંગાવડી હાલમાં રહે શનાળા શક્તિ માતાજીનાં મંદિર પાસે રાધે એપાર્ટમેન્ટ અને સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત (૩૦) રહે. હાલ નાગલકા તાલુકો સુરેન્દ્રનગર મુળ રહે શંકરગઢ પ્રયાગરાજ યુપી વાળા દિલ્હીમાં હથિયાર સાથે ઝડપાયા હતા જેથી ત્યાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને જેતે સમયે દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓનો કબજો લઈને આરોપીના રિમાન્ડ લેવા કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટે આરોપીઓના તા ૧૨ મી સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે અને તેની પાસેથી ૩.૯૦ લાખ રિકવર કર્યા છે અને ગુનામાં વપરાયેલ બાઇક તેમજ હથિયાર પણ પોલીસે કબ્જે કર્યું છે






Latest News