મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા અને બે દીકરીઓએ અંતિમ પગલું ભરી લેતા અરેરાટી


SHARE







વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા અને બે દીકરીઓએ અંતિમ પગલું ભરી લેતા અરેરાટી

મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા પરિવારના ત્રણ વ્યક્તિઓએ એકીસાથે તેના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી કરીને માતા અને તેની બે દીકરીઓએ આપઘાત કરેલ છે જેથી કરીને હાલમાં વાંકાનેરમાં ખળભળાટ મચી ગયો છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મંજુબેન ભરતભાઈ ખાંડેખા (૪૫), તેની દીકરી સેજલ ભરતભાઈ ખાંડેખા (૨૧) અને અંજલી ભરતભાઈ ખાંડેખા (૧૯) ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ત્રણયે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને ત્રણેયના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા વધુમાં મળેલ માહિતી મુજબ મૃતક મંજુબેનના દીકરાએ થોડા મહિના પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થવાની ચિંતામાં  આપઘાત કરી લીધો હતો અને ત્યારથી માતા અને બંને દીકરીઓએ ગુમસુમ રહેતા હતા અને અચાનક ત્રણેયએ અંતિમ પગલું ભરી લેતા હાલમાં પરિવાર અને સોસાયટીમાં શોકનું મોજું ફરી ગયું છે






Latest News