મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ટ્રકમાં જ હાર્ટ એટેક આવી જતાં યુવાનનું મોત


SHARE













વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ટ્રકમાં જ હાર્ટ એટેક આવી જતાં યુવાનનું મોત

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસેથી ટ્રક લઈને યુવાન પસાર થતો હતો ત્યારે ટ્રકમાં તે યુવાનને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલા ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ ઈશ્વરભાઈ વિરાણી (૪૫) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસીયા ગામ પાસે આવેલ ટોલનાકા નજીકથી ટ્રકમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રકમાં જ તેને હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃત દેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે આરટીઓ ઓફિસ નજીક બે રીક્ષા સામ સામે અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં મોરબીના સોઓરડી પાસે આવેલ ઉમિયાનગરમાં રહેતા દિનેશભાઈ કલ્યાણજીભાઈ પરમાર યુવાનને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે




Latest News