મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં કૌટુંબિક ભાઈની છરીના ઘા ઝીકિને હત્યા કરનારા ભાઈની પોલીસે કરી ધરપકડ​​​​​​​ 


SHARE











મોરબીમાં કૌટુંબિક ભાઈની છરીના ઘા ઝીકિને હત્યા કરનારા ભાઈની પોલીસે કરી ધરપકડ 

મોરબીના લીલાપર રોડ ઉપર ગુરુવારે મોડીરાત્રિના ધરાર પ્રેમીએ તેના કૌટુંબિક ભાઈની પત્ની બાબતે તેના ઘરે જઈને ઝઘડો કર્યો હતો અને "મને તારી પત્ની મને ગમે છે તું તારી પત્નીને મૂકી દે.." તેમ કહ્યું હતું અને ત્યાર બાદ મહિલાના પતિ અને તેના કૌટુંબિક ભાઈની વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ધરાર પ્રેમીએ તેના જ કૌટુંબિક ભાઈને છરી ઝીંકી દીધી હતી જેથી કરીને ગંભીર રીતે ઇજા પામેલા યુવાનનું મોત નિપજયુ હતું અને બનાવ હત્યામાં પલટયો હતો આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા લીલાપર રોડ ઉપર સ્મશાનની બાજુમાં રહેતા ઇમરાનશા ઉમરશા શાહમદાર જાતે ફકીર (૨૫) નામના યુવાનની ગુરુવારે મોડીરાત્રીના છરીના ઘા મારીને તેના જ કૌટુંબિક ભાઈ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી જે અંગે લીલાપર રોડ ઉપર જ રહેતા મૃતકના મોટાભાઈ જાવિદશા ઉમરશા શાનદાર જાતે ફકીરે (૩૨) એ મોરબીના મકરાણીવાસમાં રહેતા સરફરાજ ફિરોજશા શાહમદાર નામના તેના જ કૌટુંબિક ભાઈની સામે ફરિયાદ નોંધાવી છે તેના આધારે હાલમાં પોલીસે આરોપી સરફરાજ ફિરોજશા શાહમદારની ધરપકડ કરેલ છે તેવું ડીવાયએસઇ રાધિકા ભારાઈએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું

આ બનાવમાં મૃતકના ભાઈએ જે ફરિયાદ કરેલ હતી તેમાં જણાવ્યા મુજબ આરોપી સરફરાજ ફિરોજશા શાહમદાર મૃતક તેનો કૌટુંબિક ભાઇ છે અને મૃતક ઇમરાનશા ઉમરશા શાહમદારના પત્ની સાહિદાબેન તેને પસંદ હોય "તારી પત્ની મને પસંદ છે તું એને છોડી દે" તેમ કહીને મૃતક ઈમરાનશા સાથે ઝઘડો કર્યો હતો અને ઝઘડા દરમિયાન ઇમરાનશા ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો અને ઇમરાનશા ઉમરશા શાહમદારને છરીનો જીવલેણ ઘા ઝીકિ દીધો હતો અને તેનું મોત નીપજયું હતું અત્રે ઉલેખનીય છે કે, મૃતક ઇમરાનના સાહિદાબેન સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેઓને કોઈ સંતાન ન હતું

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક ઇમરાનશા શાહમદાર અને હત્યારા સરફરાઝના પિતા માસીયાઇ ભાઈ છે જેથી આરોપી વારંવાર મૃતક ઇમરાનશાના ઘરે આવતો જતો હતો અને દરમિયાનમાં મૃતકના પત્ની સાહિદાબેન તેને ગમી ગયા હોય અને તે બાબતને લઈને તેને પોતાના જ કૌટુંબિક ભાઈ ઉપર છરી વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી છે જેથી કરીને કૌટુંબિક ભાઈની હત્યા કરનારા યુવાનની હાલમાં પોલીસે ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે મોરબી એ ડિવિઝન પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News