મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગમાં પત્રકારના નામે ૧૦ જેટલી બોગસ અરજી !: શિક્ષકો જ શિક્ષકોના દુશમન ?


SHARE















મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગમાં પત્રકારના નામે ૧૦ જેટલી બોગસ અરજી !: શિક્ષકો જ શિક્ષકોના દુશમન ?

જીલ્લા શિક્ષણ અધિકારી મોરબીને મળીને કેટલાક શિક્ષકોએ એક  પત્રકારને પર લગાવેલા આક્ષેપો અંગે પત્રકાર દ્વારા શિક્ષણાધિકારીને રુબરુ મળીને ખૂલાસા કરવામાં આવેલ છે અને ચોક્કસ શિક્ષકો આચરેલી વ્યાપક ગેરરીતિની સિલસિલા બંધ વિગતો અધિકારીને આપી હતી. અને આવનારા સમયમાં વાંકાનેર-મોરબી શિક્ષણ જગતમાં ભારે મોટા ધડાકા ભડાકાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

હાલમાં પત્રકાર મહેબુબભાઈ હાલે જણાવ્યુ હતું કે પોતે પત્રકાર તેમજ આર.ટી.આઈ એકટીવીસ્ટ છે અને છેલ્લા ૩૨ વર્ષથી કામગીરી કરી રહ્યા છે અને ભષ્ટાચાર ખુલ્લો કરતા તેમને કેટલાક ગેરરીતી આચરનાર તત્વો સાથે મતભેદો થતા હોય છે. ગઈકાલે કેટલાક શિક્ષકોએ શિક્ષણ અધિકારીને મળીને પત્રકાર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની રાવ કરી હતી. અને વાસ્તવમાં જણાવેલા કોઈ પણ શિક્ષકને મહેબૂબભાઈ કયારેય મળ્યા જ નથી કે કયારેય ફોન પણ કર્યો નથી. તો પછી હેરાન કઈ રીતે કર્યા ગણાય? શું આરટીઆઈ માંગવી ગુનો છે? કયાંય કોઈ ગેરરીતિ આચરવામાં આવ્યાનું જણાય અને તે અંગે ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઆત કરવો ગુનો છે? સહિતના સવાલ  મહેબૂબભાઈ હાલા શિક્ષણાધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉઠાવ્યા હતા.

મોરબી જીલ્લામાં ભ્રષ્ટ શિક્ષકો દ્વારા દશ જેટલી ફરીયાદોની અને આર.ટી.આઈ.ની વિગતો જાણવવામા આવેલ છે. તે બાબતે મહેબૂબભાઈ હાલાએ જણાવ્યું હતું કે આવી કોઈ અરજીઓ તેના દ્રારા કરવામા આવી નથી અને શિક્ષકોને તે ઓળખતા પણ નથી અને કોઈ સ્કુલે પોતે ગયા જ નથી જો આવી કોઈ અરજી થઈ હોય તો તેવી ફ્રોડ અરજી કરનાર શિક્ષક જે કોઈ પણ હોય તેની સામે યોગ્ય તપાસ કરીને ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે . તેમજ વાંકાનેર તાલુકા શાળા- ૧ના આચાર્ય પિયુષ માનસેતા પાસે છેલ્લા એક વર્ષના હિસાબો બાબતે માહિતી અધિકારી હેઠળ અરજી કરેલ છે અને માહિતી માંગવી તે કોઈ ગુનો નથી






Latest News