બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતની રવાપર બેઠકના ચૂંટાયેલા સભ્યએ ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા બે શખ્સોએ માર માર્યો


SHARE











મોરબી તાલુકા પંચાયતની રવાપર બેઠકના ચૂંટાયેલા સભ્યએ ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા બે શખ્સોએ માર માર્યો

મોરબી તાલુકા પંચાયતની રવાપર બેઠકના ભાજપના ચૂંટાયેલા સભ્યએ તેના ભત્રીજાના મિત્રને ઉછીના ૫૦ હજાર રૂપિયા દોઢ વર્ષ પહેલા આપેલ હતા જે રૂપિયા તેને પાછા માંગતા રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટ પાસે બે શખ્સોએ હુમલો કરીને તેને માર માર્યો હતો અને માથામાં પાછળના ભાગે પ્લાસ્ટિકનું કેરેટ માર્યું હતું અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ ફ્લોરા ૧૫૦ સી-૩૦૨ માં રહેતા મોરબી તાલુકા પંચાયતની રવાપર બેઠકના ચૂંટાયેલા સભ્ય ચિરાગભાઈ શિવલાલભાઈ કાસુન્દ્રા જાતે પટેલ (૩૪)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ નાનુભાઈ મિયાત્રા અને પાર્થ ઉર્ફે લાલો નાનુભાઈ મિયાત્રા રહે. બંને રવાપર ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સુરેશભાઈ મિયાત્રા તેના ભત્રીજાના મિત્ર છે અને તેને તેઓએ હાથ ઉછીના ૧૦ હજાર રૂપિયા દોઢ વર્ષ પહેલા આપેલ હતા જે પૈસા તેણે પાછા માગતા સુરેશભાઈ ઉસ્કેરાઈ ગયા હતા અને તેણે ફરિયાદીને માથાના પાછળના ભાગમાં પ્લાસ્ટિકનું કેરેટ માર્યું હતું જેથી તેને માથામાં ઇજા થઈ હતી અને પાર્થ મિયાત્રાએ તેને ગાળોને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News