મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં હાર્ટ અટેકથી યુવાનનું મોત


SHARE













વાંકાનેરમાં આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં હાર્ટ અટેકથી યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી યુવાનને હાર્ટ અટેક આવી જતા તેનું હાર્ટ અટેકથી મોત થયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં આવેલ શિવાંગ ખાતે રહેતા અલીફસેનભાઈ ઈશાકભાઈ શેખ (૪૫) નામનો યુવાન વાંકાનેર નજીક આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં હતો ત્યારે ત્યાં તેને હાર્ટ અટેક આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની આગળની વધુ તપાસ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે રહેતા કિરણભાઈ શામજીભાઈ ચાવડા નામના ૩૨ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલ ભક્તિનગર સોસાયટી નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.તેને માથાના ભાગે ધોકા-પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાનું તેણે પોલીસ સૂત્રોને જણાવ્યું હતું.હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બનાવની નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

કાચ લાગતા સારવારમાં

મોરબીના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલ નજીક દેવ પેલેસમાં રહેતા અનિલભાઈ રમિતભાઈ પરિહાર નામના ૨૬ વર્ષના યુવાનને ઘરની અંદર રૂમમાં આગ લાગતા રૂમનો દરવાજો તોડીને નીકળવા જતા કાચ લાગ્યો હતો.જેથી તેને ઇજાઓ પહોંચી હતી અને તેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.




Latest News