મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા પરસોતમ રૂપાલાના વિરોધમાં કલેકટરને અપાયું આવેદનપત્ર


SHARE











મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા પરસોતમ રૂપાલાના વિરોધમાં કલેકટરને અપાયું આવેદનપત્ર

પરસોતમ રૂપાલા દ્વારા થોડા સમય પહેલા રાજકોટની અંદર રાજપૂત સમાજ વિશે જે અભદ્ર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તેને લઈને રાજપૂત સમાજમાં આક્રોશની લાગણી ફેલાય છે અને રાજપુત કરણી સેના દ્વારા પરસોતમ રૂપાલા ની રાજકોટ થી ટિકિટ રદ કરવામાં આવે અને તેને કોઈ જગ્યાએ ટિકિટ ન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે દરમ્યાન ગઈકાલે ગધેથડ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો ની હાજરીમાં પાટીદાર સમાજના લોકો પણ હાજર હતા ત્યારે લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ પોતે બોલેલા શબ્દો માટે જાહેરમાં માફી માગી હતી જોકે આજે મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિમકી ઉચારવામાં આવી છે અને તેની ટિકિટ રદ કરવામાં આવી તેવી માંગ કરી છે વધુમાં તેમને જણાવ્યું હતું કે ગઈકાલે જે સમાધાન માટેની બેઠક મળી હતી તેમાં માત્ર ભાજપ સાથે જોડાયેલા રાજકીય આગેવાનો હાજર હતા ત્યાં શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા વિગેરે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ કોઈ હાજર ન હતા અને આ સમાધાન તેઓને મંજૂર નથી અને પરસોતમભાઇ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેની ટિકિટ રાજકોટ બેઠક ઉપરથી રદ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.






Latest News