મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપરણ કરનાર મહેસાણાથી ઝડપાયો


SHARE











મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપરણ કરનાર મહેસાણાથી ઝડપાયો

મોરબી નજીકના એક ગ્રામ્ય વિસ્તારમાં રહીને કારખાનાની અંદર મજૂરી કામ કરતા મૂળ પાટણના પરિવારની સગીરાનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવ્યું હતું.જે સંદર્ભમાં ભોગ બનેલ પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ દરમિયાન એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા આરોપીની મહેસાણા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.

ઉપરોક્ત બનાવની મોરબી તાલુકા પોલીસ સુત્રો તેમજ એસસીએસટી વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ પાટણના પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવ્યુ હતુ.જે અંગે થોડા દિવસો પહેલા ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પોકસો, એટ્રોસિટી, અપહરણ તેમજ દુષ્કર્મ સંદર્ભે ગુનો નોંધ્યો હતો.જેની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે.બનાવના થોડા દિવસો બાદ ભોગ બનેલ સગીરા તેના પરિવારજનોને સોંપી આપવામાં આવી હતી.હાલમાં મળતી માહિતી પ્રમાણે ઉપરોક્ત ગુનામાં વનરાજસિંહ ઉર્ફે નાનુભા બચુભા ઝાલા (ઉંમર ૨૩) રહે.ધુમાસણ તા.કડી જી.મહેસાણાની ધરપકડ કરેલ છે.ભોગ બનેલ પરિવાર પણ મહેસાણાના પાટણનો વતની છે અને ત્યાંથી સંપર્કમાં આવ્યા બાદ સગીરા પરિવાર સાથે હાલ મોરબી રહીને મજૂરી કામ કરતી હોય અહીં મોરબી ખાતેથી તેણીનું અપહરણ કરી જવામાં આવ્યુ હતુ.હાલ વનરાજસિંહ ઝાલાની ધરપકડ કરીને પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરાયેલ છે.






Latest News